Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

'આધાર કાર્ડ જ નહીં ડ્રાઈવિંગ લાઇસન્સ અને રેશન કાર્ડ પણ નકલી હોઈ શકે', SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

September 16, 2025

બિહારમાં ચૂંટણીઓ નજીક આવતા, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પરની ચર્ચા તેજ બની છે. સુપ્રીમ કોર્ટે SIR પર ચુકાદો આપતા આધાર કાર્ડને માન્ય દસ્તાવેજોની યાદીમાં સામેલ કર્યું હતું. આ નિર્ણય સામે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરાયો હતો કે નકલી આધાર કાર્ડનો ઉપયોગ નાગરિકતા સાબિત કરવા માટે થઈ શકે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને સ્પષ્ટતા કરી કે અન્ય દસ્તાવેજો પણ નકલી બનાવી શકાય છે, માત્ર આધાર કાર્ડ જ નહી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે લોકો નકલી આધાર કાર્ડ બનાવીને નાગરિકતા સાબિત કરી શકે છે. આના પર સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આધાર કાર્ડ ઉપરાંત અન્ય દસ્તાવેજો પણ નકલી બનાવી શકાય છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલય બાગચીની બેન્ચે અરજી પર સુનાવણી કરી. કોર્ટના જણાવ્યા અનુસાર, 'રેશન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજો પણ નકલી હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ફક્ત આધાર કાર્ડને જ અલગ દ્રષ્ટિકોણથી ન જોવું જોઈએ.' સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, 'ડ્રાઇવિંગ લાઇસન્સ નકલી હોઈ શકે છે, રેશન કાર્ડ પણ નકલી હોઈ શકે છે. અન્ય દસ્તાવેજો પણ નકલી બનાવી શકાય છે. આધારનો ઉપયોગ કાયદા દ્વારા નિર્ધારિત મર્યાદા સુધી જ થવો જોઈએ.' બિહાર ચૂંટણી પહેલા SIR પ્રક્રિયા હેઠળ, ચૂંટણી પંચે નાગરિકતા સાબિત કરવા માટે 11 દસ્તાવેજોની યાદી બહાર પાડી હતી, જેમાં આધાર કાર્ડનો સમાવેશ થતો નહોતો. આના પર નિર્ણય આપતા, સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે માન્યતા આપવાનો આદેશ આપ્યો હતો.