Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

હવે AC નું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય, સરકાર લાવી રહી છે નવો નિયમ

June 11, 2025

ભારત એક ગરમ પ્રદેશ છે. ઉનાળામાં દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડીગ્રીથી વધી જતું હોય છે. અસહ્ય ગરમીથી બચવાનો આસાન ઉપાય છે AC. મોટાભાગના ભારતીયો AC નું તાપમાન 16 થી 20 ડીગ્રી જેટલું નીચું રાખતા હોય છે. જોકે, હવે આમ કરવું શક્ય નહીં હોય, કેમ કે ભારત સરકાર એવો નિયમ લાવી રહી છે જેમાં AC નું તાપમાન 20 ડિગ્રીથી નીચે અને 28 ડીગ્રીથી ઉપર સેટ નહીં કરી શકાય. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, ‘એર કન્ડીશનિંગના ધોરણો અંગે ટૂંક સમયમાં એક નવી જોગવાઈ લાગુ કરવામાં આવી રહી છે. AC માટે તાપમાન ધોરણ 20 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ કરવામાં આવશે, જેનો અર્થ છે કે આપણે 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉપર તાપમાન સેટ કરી શકીશું નહીં.’ સરકારના 2047ના વિઝનની રૂપરેખાના ભાગરૂપે આ જાહેરાત કરાઈ છે. AC તાપમાન માટેનો નિયમ લાગુ કરવા પાછળનો હેતુ ઉર્જા બચાવવા, વીજળીનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે. આ નિયમથી લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે. હાલમાં દેશમાં AC નું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ 30 સુધી સેટ કરી શકાય છે. ઘણા લોકો AC નું તાપમાન 16 થી 18 ડિગ્રી જેટલું રાખીને પછી ધાબળા ઓઢીને સૂતા હોય છે. એનો કોઈ અર્થ નથી, કેમ કે આમ કરવું ખિસ્સા અને શરીર બંને માટે હાનિકારક છે. AC નું તાપમાન 24 ડીગ્રી પર રાખો એ આદર્શ સ્થિતિ છે, કેમ કે એ શરીરની સાથે વીજળી પણ બચાવે છે, પણ લોકો સમજતાં નથી, તેથી સરકાર આ નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ ફક્ત ઘર અને ઓફિસ ઈમારતો માટે જ નહીં, વાહનોમાંના AC પર પણ લાગુ થશે.