Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

જયપુરમાં ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત

September 14, 2025

જયપુર : રાજસ્થાનના જયપુરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર મોટો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ગતિએ જઈ રહેલી કાર બેકાબૂ થઈને અંડર બાયપાસમાં ખાબકી, જેમાં 7 લોકોના કરૂણ મોત નીપજ્યા. મૃતકોમાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે. દુર્ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોતના સમાચારથી મૃતકોના ગામ અને પરિવારમાં માતમ છવાયો છે.


મળતી માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાના પિતાની અસ્થિને ગંગામાં વિસર્જિત કરીને પરત ફરી રહ્યા હતા. આ સમયે શિવદાસપુરા નજીક તેમની ગાડી અચાનક બેકાબૂ થઈને બાયપાસમાં ખાબકી છે. દુર્ઘટના એટલી ખતરનાક હતી કે તમામના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. દુર્ઘટનામાં કાલૂરામ અને તેમની પત્ની સીમા, ભાઈ રામરાજ અને પત્ની મધુ, 14 મહિનાનો દીકરો રૂદ્ર, રોહિત અને તેમનો ત્રણ વર્ષ દીકરો ગજરાજ સામેલ છે. પરિવાર મૂળ અજમેર જિલ્લાના કેકડી અને જયપુરના વાટિકા ક્ષેત્રનો રહેવાસી છે. એક જ પરિવારના સાત લોકોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના શિવદાસપુરા વિસ્તારમાં પ્રહ્લાદપુરા નજીક બની. એક પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઈને રિંગરોડથી લગભગ 16 ફૂટ નીચે જઈને ખાબકી. કાર એક અંડરપાસમાં ખાબકતા પાણી ભરાયું હતું. સ્થાનિક લોકોએ રવિવાર બપોરે દુર્ઘટનાગ્રસ્ત કારને પાણીથી ભરેલા અંડરપાસમાં ઉંધી પડેલી જોઈ.
માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી. શિવદાસપુરાના પોલીસ અધિકારી સુરેન્દ્ર સૈનીએ કહ્યું કે, 'કારમાં સવાર તમામ સાત લોકો મૃત મળી આવ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે.