'સીઝફાયર માટે પાકિસ્તાને જ પહેલા કોલ કર્યો...' ઈન્ડોનેશિયામાં સલમાન ખુર્શીદનો મોટો ખુલાસો

May 31, 2025

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે શુક્રવારે (30 મે) ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પત્રકારો સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું કે, 'ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત નહીં પરંતુ, પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી. પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને ફોન કરી સંઘર્ષવિરામની માંગ કરી અને ભારતે ત્યારે જવાબી કાર્યવાહી રોકવાનો નિર્ણય લીધો હતો.' જણાવી દીઈએ કે, તેમની પાર્ટી કોંગ્રેસ સીઝફાયરને લઈને સતત પ્રશ્ન કરી રહી છે. રાહુલ ગાંધીએ ખુદ અનેકવાર કહ્યું કે, અમેરિકાના દબાણના કારણે ભારતે સીઝફાયર કર્યું છે. ખુર્શીદે કહ્યું કે, 'જો કોઈ કહે છે કે, ભારતે પહેલા ફોન કર્યો હતો તો આ બકવાસ છે. કૉલ આવ્યો ત્યાં સુધી પાકિસ્તાનને પણ ભારે નુકસાન થઈ ચુક્યુ હતું. તેથી અમે ત્યારે હુમલો રોકવાનો નિર્ણય લીધો, તેમ છતા સરહદ પર ગોળીબારી ત્રણ-ચાર કલાક સુધી ચાલતી રહી. પાકિસ્તાનમાં ન તો સરકારનું નિયંત્રણ છે અને ન તો સેના એકજૂટ છે. ત્યાં તો સૈન્યની અંદર જ અનેક જૂથ છે, જે એક-બીજાસાથે તાકાતથી લડી રહ્યા છે.' ભારતની માંગ વિશે વધુ સ્પષ્ટતા આપકા ખુર્શીદે કહ્યું કે, 'ભારત હવે મહાશક્તિ બનવાના રસ્તા પર છે અને કોઈપણ તેને નહીં રોકી શકે. ભારત મહાન બનવાની રસ્તે છે અને કોઈ અમને ભટકાવી નહીં શકે. એ જરૂરી નથી કે, અમે અમારી તાકાત દુનિયાને બતાવીએ. ભારતની એકમાત્ર અને સ્થાયી માંગ એ છે કે, પાકિસ્તાન આતંકવાદનો સાથ છોડી દે. ભારતનો અવાજ આજે સત્તાપક્ષ અને વિપક્ષ એકસાથે ઉઠાવી રહ્યો છે. જો પાકિસ્તાનમાં થોડી પણ સમજ બચી હોય તો સમજે કે ભારત શું માંગે છે.' આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, 'હું ભલે કોંગ્રેસ પાર્ટીમાંથી છું અને મારા સાથી ભાજપ અને અન્ય પાર્ટીના છે, પરંતુ અમે બધા પાર્ટી નહીં ભારતનો મેસેજ લઈને આવ્યા છીએ. અમારામાંથી અમુક સત્તાપક્ષમાંથી નથી. તેમ છતાં અમે એકસાથે છીએ કારણ કે, અમે ભારત નામના એક વિચારનું સમર્થન કરી રહ્યા છીએ.' જણાવી દઈએ કે, 7 મેના દિવસે શરૂ થયેલા ઓપરેશન સિંદૂરમાં ભારતના જમ્મુ-કાશ્મીરના પહલગામાં થયેલા આતંકવાદી હુમલો (22 એપ્રિલ)ના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. જેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદ્દીન જેવા સંગઠનોના 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.