પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું કર્યું લોકાર્પણ: ભારતીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર ગણાવી
April 01, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રી મહાવીર પ્રભુ જન્મકલ્યાણકના પવિત્ર અવસરે અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ આ મ્યુઝિયમને જૈન દર્શન અને ભારતીય સંસ્કૃતિનું પવિત્ર કેન્દ્ર ગણાવ્યું હતું.
સભાને સંબોધતા વડાપ્રધાને આચાર્ય કૈલાશસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબને વંદન કરતા જણાવ્યું કે, તેમના સપના થકી જ કોબામાં જ્ઞાન અને શ્રદ્ધાનું આ મહાન કેન્દ્ર સ્થપાયું છે. કોબા તીર્થમાં વર્ષોથી અધ્યયન, સાધના અને સંયમની પરંપરા જળવાઈ રહી છે. આપણી હજારો વર્ષ જૂની વિરાસત અને જૈન ધર્મના જ્ઞાનને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવા માટે સંતોએ આ મ્યુઝિયમની જે સંકલ્પના કરી હતી, તે આજે ભવ્ય રૂપમાં સાકાર થઈ છે.
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, સમ્રાટ સંપ્રતિ માત્ર એક રાજા ન હતા, પરંતુ તેમણે સત્તાને સેવા માનીને અહિંસાનો વિસ્તાર કર્યો હતો. આ મ્યુઝિયમની ૭ દીર્ઘાઓ ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઓળખ કરાવે છે. અહીં જૈન ધર્મની સાથે વૈદિક અને બૌદ્ધ પરંપરા, આયુર્વેદ તથા યોગદર્શનની પણ અદ્ભુત પ્રસ્તુતિ છે. વિભિન્ન પરંપરાઓનો આ સંગમ ભારતની 'વિવિધતામાં એકતા'ની તાકાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
Related Articles
અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગેડી મૂક્યા
અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ને...
Apr 17, 2026
ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને...
Apr 17, 2026
સુરત: પ્રસાદીના બહાને ઝેર આપી પરિવારની હત્યાનો પ્રયાસ, પડોશણ મહિલાએ જ કાવતરું રચ્યું હોવાનો ખુલાસો
સુરત: પ્રસાદીના બહાને ઝેર આપી પરિવારની હ...
Apr 17, 2026
વડોદરા: ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઈટ્સમાં ભીષણ આગ
વડોદરા: ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઈટ્સમ...
Apr 15, 2026
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! લોકસભામાં 39 સાંસદ અને વિધાનસભામાં 273 ધારાસભ્યો થવાની શક્યતા
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! લોકસભામાં 3...
Apr 15, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યેલો ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્...
Apr 13, 2026
Trending NEWS
16 April, 2026
16 April, 2026
16 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026
15 April, 2026