75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પર્વમાં વડાપ્રધાન મોદી સહભાગી થયા, 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
May 11, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં વડાપ્રધાને વિશેષ ઉપસ્થિતિ નોંધાવી 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો હતો. આ સિક્કો 99.9 ટકા શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવ્યો છે, જેનું વજન 40 ગ્રામ અને વ્યાસ 44 મિલીમીટર છે. સિક્કાની આગળની બાજુએ અશોક સ્તંભ અને પાછળની બાજુએ સોમનાથ મંદિરની ભવ્ય આકૃતિ કંડારવામાં આવી છે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભાવુક સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેઓ અહીં માત્ર 75 વર્ષની ઝાંખી નથી જોઈ રહ્યા, પરંતુ વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યા છે. તેમણે આ સ્થળને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક ગણાવ્યું હતું. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, અહીં હજારો વર્ષો સુધી ફેલાયેલી એવી આધ્યાત્મિક ચેતના છે જેણે સમગ્ર માનવતાના કલ્યાણનો દ્રષ્ટિકોણ રાખ્યો છે. તેમણે સોમનાથને ભારતનો એક એવો અવિનાશી સાર ગણાવ્યો હતો જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.
સોમનાથ મંદિરના સાનિધ્યમાં કલા, સંગીત અને મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાને આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે સંબોધનમાં કહ્યું કે, કલા, સંગીત અને નૃત્યના મનોહર પ્રદર્શન સાથે વૈદિક મંત્રોના પવિત્ર જાપ અને ગર્ભગૃહમાં શિવપંચાક્ષરીના સતત પાઠથી એક અનોખી સુખદ અનુભૂતિ થઈ રહી છે. સમુદ્રના મોજાઓના ગૂંજતા જયઘોષ સાથે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં ‘જય સોમનાથ’ બોલી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. આમ, જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાને સોમનાથમાં શ્રદ્ધાપૂર્વક અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.
Related Articles
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાંચ બાળકના મોત
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાં...
Jul 10, 2026
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ...
Jul 08, 2026
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી...
Jul 08, 2026
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે, મુંબઈમાં વરસાદ વચ્ચે અનેક ટ્રેનો રદ
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મે...
Jul 08, 2026
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026