પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ
September 05, 2025
કેજરીવાલે ખબર અંતર પૂછવા માનના નિવાસસ્થાને પહોંચ્યા
ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી તેમની તબિયત ખરાબ હતી અને તેઓ દવાઓ લઈ ઘરે જ આરામ કરી રહ્યા હતા. જોકે, તબિયતમાં કોઈ સુધારો ન થતા આજે (5 સપ્ટેમ્બર) તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને વાયરલ તાવ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ છે. મુખ્યમંત્રી ભગવંત માન શુક્રવારે ચંડીગઢમાં યોજાનારી પંજાબ કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરવાના હતા, પરંતુ તેમની બીમારીને કારણે આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત થવાની અપેક્ષા હતી, કારણ કે પંજાબ હાલમાં પૂરની ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. રાજ્યમાં પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર છે.
અહીં પૂરથી મૃત્યુઆંક વધીને 43 થયો હોવાના તેમજ 1.71 લાખ હેક્ટરથી વધુ કૃષિ જમીનને નુકસાન થયું હોવાના અહેવાલો છે. મુખ્યમંત્રીની તબિયત ખરાબ હોવાના કારણે ગઈકાલે તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ શક્યા ન હતા. કેજરીવાલ સીએમ માનના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા માટે ગુરુવારે (4 સપ્ટેમ્બર) તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કેજરીવાલ બુધવારે સાંજે પંજાબમાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા આવ્યા હતા અને તેઓ મુખ્યમંત્રી સાથે મળીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના હતા, પરંતુ ભગવંત માન સાથે ન હોવાના કારણે તેમણે માત્ર કપૂરથલા જિલ્લાના સુલતાનપુર લોધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
Related Articles
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની ન...
Dec 04, 2025
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં...
Dec 04, 2025
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધ...
Dec 04, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ...
Dec 04, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ...
Dec 04, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 7 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાન...
Dec 03, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025