સુરતના રાકેશનાથજી મહંતનું હ્રદય બેસી ગયું! ભક્તોમાં શોકની લાગણી

June 03, 2023

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના 52 વર્ષીય મહંત રાકેશનાથ મહારાજનું હાર્ટ એટેકથી નિધન થયું . મહંતને છેલ્લા બે-ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન છાતીમાં દુખાવા પછી અચાનક મૃત્યુ થતા ભક્તોમાં પણ શોકનો લાગણી ફેલાઈ ગઈ છે. મહંતના અંતિમ સંસ્કાર આગામી સોમવારે પુત્ર અમેરિકાથી આવ્યા પછી કરવામાં આવશે. 


આ મંદિર ભક્તો માટે ખૂબ જ આસ્થા માધ્યમ છે. દૂર દૂરથી અહીં ભકતો દર્શન માટે આવે છે. સંકટ મોચન આ ક્ષેત્રપાલ દાદા ભક્તોની પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અનેક ભક્તો પોતાની બાધા અને માનતા માનવા અહીં આવે છે. ખાસ કરીને શનિ અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ક્ષેત્રપાલ દાદાના આ મંદિરની સાથે ભગવાન શિવનું મંદિર પણ આવ્યું છે. સાથે ભગવાન શનિદેવનું મંદિર પણ બનાવ્યું છે.