1948થી અત્યાર સુધી 60 લાખ લોકોનું પલાયન, હવે ફરી ગાઝાના લોકોને અરબ દેશોમાં ટ્રાન્સફર કરવા માંગે છે ટ્રમ્પ
January 28, 2025
1948માં ઈઝરાયલની સ્થાપના બાદ લગભગ 60 લાખ પેલેસ્ટિનિયનો પલાયન કરી ગયા હતા. તે સમયે ઘણા લોકો જોર્ડન, સીરિયા અને લેબનોન જેવા પડોશી અરબ દેશોમાં આશ્રય લેવા ગયા હતા. ઘણા લોકો હજુ પણ શરણાર્થી કેમ્પમાં જ રહી રહ્યા છે. આ દુ:ખદ ઈતિહાસને જોતાં ગાઝાના લોકો કોઈપણ પ્રકારના નવા પલાયનથી ભયભીત છે, જે તેમને ફરીથી કાયમ માટે બેઘર કરી શકે છે. 1967ના મિડલ ઈસ્ટના યુદ્ધમાં જ્યારે ઈઝરાયલે વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો હતો ત્યારે 3 લાખથી વધુ પેલેસ્ટિનિયનો ફરીથી પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા, જેમાંથી મોટાભાગના જોર્ડન ગયા. ગાઝા છોડીને અરબ દેશોમાં ગયેલા લોકોની સંખ્યા 60 લાખ છે, જેમાંથી મોટાભાગના લોકો વેસ્ટ બેંક, ગાઝા, લેબનોન, સીરિયા અને જોર્ડનમાં કેમ્પ અને સમુદાયોમાં રહે છે. આ વખતે ગાઝામાં ઈઝરાયે હુમલામાં મોટાભાગના શહેરી વિસ્તારોને નષ્ટ કરી દીધા. પેલેસ્ટિનિયન અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓનું કહેવું છે કે, હવે ગાઝામાં સુરક્ષિત સ્થળો નહીવત્ પ્રમાણમાં છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યા આ સંકટ વધુ ઘેરુ બન્યું છે. આ હુમલાના જવાબમાં ઈઝરાયલે અત્યાર સુધીમાં ગાઝામાં 47,000થી વધુ પેલેસ્ટિનિયનોનો જીવ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ પ્રમાણે ગાઝાના 2.3 મિલિયન લોકોમાંથી 85% લોકો પહેલાથી જ પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થઈ ચૂક્યા છે.
Related Articles
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026