Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

છઠ પૂજા: આજે સાંજે નદી કાંઠે આથમતા સૂર્યની કરાશે પૂજા, સૌ પ્રથમ રામ અને સીતાએ કરી છઠ પૂજા

November 07, 2024

પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. તેમના દ્વારા કારતક સુદ છઠથી ચાર દિવસ કરાતી છઠ પૂજાની ઉજવણી આ વર્ષ પાંચથી આઠ નવેમ્બર સુધી કરાશે. ત્યારે આવતી કાલે ગુરુવારે સાંજે અને શુક્રવારે પરોઢે ઈન્દિરા બ્રિજના છઠ ઘાટ તથા વિવિધ વિસ્તારોમાં બનાવાતા કુંડ પાસે સૂર્યદેવ અને છઠી માતાની પૂજા કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.

પૂર્વમાં રહેતા ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોના લોકો દ્વારા મંગળવારથી છઠ પૂજા પર્વ મનાવવાનું શરૂ કરી દેવાયું છે. લોકવાયકા મુજબ યુદ્ધમાં વિજયી થઈને લંકાથી પરત ફર્યા બાદ માતા સીતા અને ભગવાન રામ દ્વારા બિહારમાં સૌપ્રથમ વાર ગંગા ઘાટે કૃતજ્ઞતા વ્યકત કરવા છઠ પૂજા કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરાચાલતી આવી છે. 

આ વર્ષે પાંચ નવેમ્બરે નહાય-ખાય એટલે કે સ્નાન કરી સાત્વિક ભોજન સાથે છઠ પૂજા પર્વનો પ્રારંભ કરાયો હતો. બાદ આજે બીજા દિવસે ‘છોટી છઠી' મનાવી શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે. આવતી કાલે ગુરુવારે બડી છઠી મનાવાશે. જેમાં સાંજે પાંચ વાગ્યાથી સૂર્યાસ્ત સુધી નદીમાં ઉભા રહીને આથમતા સૂર્ય અને છઠી માતાની પૂજા કરાશે. 

બાદ શુક્રવારે પરોઢથી સૂર્યોદય સુધી નદીકાંઠે ઉગતા સૂર્યની આરાધના કરાશે. આ દરમિયાન મીઠી પુરી, મીઠા ભાત (બખીર) સહિત ફળ અને અળવી, કોળું વગેરે કાચા શાકભાજીનો ભોગ ધરાવાય છે અને પછી ઘરે પ્રસાદમાં તેમનું શાક બનાવાય છે. હાલ ઈન્દિરા બ્રિજના છઠ ઘાટે તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. તેમજ બાપુનગર સહિત પૂર્વના વિસ્તારોના મેદાનોમાં પાણીના કુંડ બનાવી બે દિવસ પૂજા કરાશે.