મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન : નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ
August 01, 2025

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદન બદલ માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે (પહેલી ઑગસ્ટ) કોંગ્રેસના સાંસદ શશિ થરુરને રાહત આપી હતી. કોર્ટે કહ્યું હતું કે 'નેતાઓ અને જજો જાડી ચામડીના હોવા જોઈએ.' નોંધનીય છે કે, વર્ષ 2018માં શશિ થરુરના નિવેદન પર ભાજપના નેતા રાજીવ બબ્બરે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોંગ્રેસ નેતા શશિ થરુરે આ કેસમાં કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી, જેને હાઇકોર્ટમાં ફગાવી દેતાં તેમણે સુપ્રીમ કોર્ટ દરવાજો ખટખટાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે જણાવ્યું હતું કે, 'આ બધી બાબતો વિશે આટલા ભાવુક કેમ થવું? આપણે બધાએ આ બાબતો બંધ કરવી જોઈએ. એક રીતે નેતાઓ અને જજો એક જ જૂથમાં આવે છે. તેઓ જાડી ચામડીના હોવા જોઈએ, આવી બાબતોથી કોઈ ફરક પડવો જોઈએ નહીં.' કોંગ્રેસ નેતા શશિ થરુરે નવેમ્બર 2018માં બેંગ્લોર સાહિત્ય મહોત્સવમાં કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના એક નેતાએ પીએમ મોદીની સરખામણી શિવલિંગ પર બેઠેલા વીંછી સાથે કરી હતી.' આ નિવેદન પર વિવાદ સર્જાયો હતો.
ભાજપના નેતા રાજીવ બબ્બરે નવેમ્બર 2018માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં શશિ થરુર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, તેમણે દાવો કર્યો હતો કે, શશિ થરુરનું નિવેદન માત્ર વડાપ્રધાન મોદીને બદનામ કરવાની સાથે ભગવાન શિવના ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે. તે ભાજપ, આરએસએસ અને તેમના સભ્યોની છબીને નુકસાન પહોંચાડે છે.
દિલ્હી હાઇકોર્ટે માનહાનિ કેસ રદ કરવાની માંગ કરતી શશિ થરુરની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, 'વડાપ્રધાન સામેના આરોપો ઘૃણાસ્પદ અને નિંદનીય છે અને પક્ષ, તેના સભ્યો અને તેના પદાધિકારીઓની છબીને અસર કરે છે.
Related Articles
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ? NDA નેતાએ કહ્યું- વિપક્ષના અનેક સાંસદો સંપર્કમાં
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ...
Sep 07, 2025
લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ
લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિ...
Sep 07, 2025
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ...
Sep 07, 2025
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પ...
Sep 06, 2025
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તો...
Sep 06, 2025
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિન...
Sep 05, 2025
Trending NEWS

06 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025