હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી : ખડગે
May 02, 2025
પહલગામ : પહલગામ આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની ઈમરજન્સી બેઠક શુક્રવારે સાંજે દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં કેન્દ્રની મોદી સરકારને તમામ શક્ય મદદ કરવાની વાત કરી છે. બેઠકમાં ખડગેએ કહ્યું હતું કે, 'પહલગામ હુમલા પર મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી.' જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ખડગેએ કહ્યું કે, 'રાહુલ ગાંધીને શુભેચ્છા આપી છે.'
ખડગેએ કહ્યું કે, 'દેશની એકતા અને અખંડતામાં જે અડચણરૂપ બનશે તેના વિરૂદ્ધ સૌ સાથે મળીને કડકાઈથી લડીશું. આખુ વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે ઉભું છે. આ સાથે ખડગેએ આરોપ લગાવ્યો છે કે પહલગામ હુમલા બાદ પણ મોદી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ રણનીતિ સામે આવી નથી. રાહુલ ગાંધીએ કાનપુરમાં શુભમ દ્વિવેદીના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. સાથે જ સરકાર સાથે માર્યા ગયેલા લોકોને શહીદનો દરજ્જો અને સન્માન આપવાની માગ કરી છે.'
Related Articles
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!...
May 05, 2026
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દ...
May 05, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા...
May 05, 2026
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટ...
May 05, 2026
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી...
May 05, 2026
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી...
May 05, 2026
Trending NEWS
05 May, 2026