Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી : ખડગે

May 02, 2025

પહલગામ : પહલગામ આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની ઈમરજન્સી બેઠક શુક્રવારે સાંજે દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં કેન્દ્રની મોદી સરકારને તમામ શક્ય મદદ કરવાની વાત કરી છે. બેઠકમાં ખડગેએ કહ્યું હતું કે, 'પહલગામ હુમલા પર મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી.' જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ખડગેએ કહ્યું કે, 'રાહુલ ગાંધીને શુભેચ્છા આપી છે.'


ખડગેએ કહ્યું કે, 'દેશની એકતા અને અખંડતામાં જે અડચણરૂપ બનશે તેના વિરૂદ્ધ સૌ સાથે મળીને કડકાઈથી લડીશું. આખુ વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે ઉભું છે. આ સાથે ખડગેએ આરોપ લગાવ્યો છે કે પહલગામ હુમલા બાદ પણ મોદી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ રણનીતિ સામે આવી નથી. રાહુલ ગાંધીએ કાનપુરમાં શુભમ દ્વિવેદીના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. સાથે જ સરકાર સાથે માર્યા ગયેલા લોકોને શહીદનો દરજ્જો અને સન્માન આપવાની માગ કરી છે.'