Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

રાજા રઘુવંશી હત્યા કેસનું ઉકેલાયું રહસ્ય! ચારેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો

June 11, 2025

રાજા રઘુવંશીની હત્યાના ચારેય આરોપીઓએ ગુનો સ્વીકાર કરી લીધો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કહ્યું કે તેમને રાજા રઘુવંશીની હત્યા કરી હતી અને હત્યા બાદ તેમના મૃતદેહને ઊંડી ખીણમાં ફેંકી દીધો હતો. ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે આરોપીના આ ગુનાનો સ્વીકાર કર્યાની પુષ્ટિ કરી છે, જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશીને મુખ્ય આરોપી અને કાવતરાખોર તરીકે બતાવવામાં આવી રહી છે.

રાજા કુશવાહા આ સમય દરમિયાન ઈન્દોરમાં જ હતો, પરંતુ તેને વિશાલ, આકાશ અને આનંદ નામના ત્રણ આરોપીઓને મેઘાલયમાં ખર્ચ માટે લગભગ 40-50 હજાર રૂપિયા આપ્યા હતા. હત્યાકાંડના સમયે સોનમ રઘુવંશી પણ ત્યાં હાજર હતી. આરોપીઓએ કહ્યું તે સોનમ પોતાના પતિ રાજાને મરતાં જોઈ રહી હતી. ત્યારબાદ આરોપીઓએ રાજાનો મૃતદેહ ઉંડી ખીણમાં ફેંકી દીધો.

મીડિયા સાથેની વાતચીતમાં ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે એસીપી પૂનમ ચંદ યાદવે આ મામલે સોનમના ઈન્દોર પરત આવી છે કે નહીં આ મામલના પુષ્ટિ હાલમાં મેઘાલય પોલીસ જ કરી શકશે. તેમને કહ્યું કે આ સંબંધમાં ઈન્દોર પોલીસ પાસે હાલમાં કોઈ તથ્ય મળ્યું નથી.

સોનમ રઘુવંશીની સોમવારે સવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી અટકાયત કરવામાં આવી હતી. તેને પૂછપરછમાં જણાવ્યું કે તેને મદદ માટે એક ઢાબાના માલિકનો સંપર્ક કર્યો. તેને દાવો કર્યો કે તેને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ તે બેભાન થઈ ગઈ અને તેને યાદ નથી કે તે ગાઝીપુર કેવી રીતે પહોંચી.