Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! લોકસભામાં 39 સાંસદ અને વિધાનસભામાં 273 ધારાસભ્યો થવાની શક્યતા

April 15, 2026

કેન્દ્ર સરકાર દ્વારા નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમ-2023ને લાગુ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જે આ બંને લાગું થશે તો ગુજરાતનો રાજકીય નકશો પણ બદલી જશે. ગુજરાતમાં લોકસભાની હાલ 26 બેઠક છે, જે વધીને 39 થઈ જશે. જ્યારે વિધાનસભાની 182 બેઠકનો આંકડો વધીને 273 સુધી પહોંચી શકે છે. બંનેમાં થનારા આ ફેરફારના કારણે કેટલીક જૂની બેઠકો રદ થઈ જશે, જ્યારે કેટલીક નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. આ ઉપરાંત વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ મોટાપાયે ફેરફારો થશે.

નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમની અમલવારી લોકસભાની વર્ષ 2029ની ચૂંટણી પહેલાં થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. જાણકાર સૂત્રોના મતે આ નવા સીમાંકનના કારણે ગુજરાતમાં લોકસભાની હાલની 26 બેઠકોમાં નવી 13 બેઠકનો ઉમેરો થવાની શક્યતા છે. જ્યારે વિધાનસભાની 182 બેઠકમાં નવી 90 બેઠક ઉમેરાશે. કુલ બેઠકોમાં નવા અધિનિયમ હેઠળ 1/3 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. એટલે કે ગુજરાતમાં લોકસભામાં 13 બેઠક અને વિધાનસભામાં 91 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. 

સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોમાં ફેરફાર થશે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આ નવા પરિસીમન તથા મહિલા અનામતની અસરના મોટા ફેરફારો જોવા મળશે. રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજ્યસભાની બેઠકોની સંખ્યા અત્યારે 11 છે. તેમાં પણ વધારો થશે.