લગ્ન બહારના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, છોટાઉદેપુરમાં પતિ પોલીસે કરી પત્નીની હત્યા
December 06, 2023

છોટાઉદેપુરઃ છોડાઉદેપુરમાં 'પતિ-પત્ની ઓર વો'નો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ પતિ દ્વારા તેની હત્યા કરી લાશ ફેંકી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. પ્રેમીકાને પામવા માટે પત્ની કાંટો બનતા પતિએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
છોટાઉદેપુરના ગોંદરિયા ગામની સીમમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાની ઓળખ માટે ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સામે આવ્યું કે જે મહિલાની લાશ મળી તે પોલીસ સ્ટાફના હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા વરશનભાઈ ભૂરાભાઈ રાઠવાની પત્ની છે. પત્નીની લાશ મળ્યા બાદ પોલીસ પતિની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે પતિની કરતૂતનો ભાંડો ભૂટી ગયો હતો.
પોલીસે જ્યારે વરશનભાઈ રાઠવાની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે મૃતક કેડીબેનના ભાઈ વિરસિંહભાઈ રાઠવા સાથે જ્યારે ટેલીફોનીક વાત થઈ ત્યારે આરોપી પતિએ પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હતી. પોલીસે હાલ તો આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વરશનભાઈ રાઠવાને લગ્ન બહાર એક મહિલા ટીઆરબી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધમાં પત્ની નડતર રૂપ બનતી હોવાને કારણે તેની હત્યા કરવાનું સામે આવ્યું છે. હાલ તો મૃતક કેડીબેનના પરિવારજનોએ આ પ્રેમ સંબંધને કારણે હત્યાનો આરોપ લગાવ્યો છે.
છોટાઉદેપુરના ગોંદરિયા ગામની સીમમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાની ઓળખ માટે ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સામે આવ્યું કે જે મહિલાની લાશ મળી તે પોલીસ સ્ટાફના હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા વરશનભાઈ ભૂરાભાઈ રાઠવાની પત્ની છે. પત્નીની લાશ મળ્યા બાદ પોલીસ પતિની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે પતિની કરતૂતનો ભાંડો ભૂટી ગયો હતો.
પોલીસે જ્યારે વરશનભાઈ રાઠવાની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે મૃતક કેડીબેનના ભાઈ વિરસિંહભાઈ રાઠવા સાથે જ્યારે ટેલીફોનીક વાત થઈ ત્યારે આરોપી પતિએ પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હતી. પોલીસે હાલ તો આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વરશનભાઈ રાઠવાને લગ્ન બહાર એક મહિલા ટીઆરબી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધમાં પત્ની નડતર રૂપ બનતી હોવાને કારણે તેની હત્યા કરવાનું સામે આવ્યું છે. હાલ તો મૃતક કેડીબેનના પરિવારજનોએ આ પ્રેમ સંબંધને કારણે હત્યાનો આરોપ લગાવ્યો છે.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025