'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
February 07, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટી વહીવટીતંત્ર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેમને અતિથિ તરીકે આમંત્રણ અપાયા બાદ છેલ્લી ઘડીએ તેમનું આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું. તેમણે એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 'હું સત્તાધારીઓનો ટીકાકાર રહ્યો છું એટલે યુનિવર્સિટીએ મને આપેલું આમંત્રણ પાછું ખેંચ્યું છે. આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો છું. જ્યાં મને પ્રેમ કરતાં શીખવાડવામાં આવ્યું હતું.' નસીરુદ્દીન શાહે એક લેખમાં જણાવ્યું હતું કે, મુંબઈ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરીએ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે ખૂબ ઉત્સુક હતા. પરંતુ 31 જાન્યુઆરીની રાત્રે તેમને ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમણે કાર્યક્રમમાં આવવાની જરૂર નથી. અભિનેતાએ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટીએ માત્ર તેમને આવવાની ના જ પાડી એવું નથી, પરંતુ ત્યાં હાજર પ્રેક્ષકોને એવું જણાવ્યું કે નસીરુદ્દીન શાહે પોતે જ આવવાની મનાઈ કરી દીધી છે. તેમણે આ બાબતને અત્યંત અપમાનજનક ગણાવી છે.
નસીરુદ્દીન શાહના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના એક વરિષ્ઠ અધિકારીએ કથિત રીતે એવું કહ્યું હતું કે, 'નસીરુદ્દીન શાહ દેશ વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદનો આપે છે, તેથી તેમને બોલાવવા જોઈએ નહીં.' આ વાત પર વળતો પ્રહાર કરતા અભિનેતાએ કહ્યું કે, 'હું તેમને પડકાર આપું છું કે મારું એવું એક પણ નિવેદન બતાવો જેમાં મેં દેશની નિંદા કરી હોય. હું સત્તાધારી પક્ષની નીતિઓની ટીકા કરું છું, દેશની નહીં.' નસીરુદ્દીન શાહે તાજેતરમાં દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેટલાક પાયાના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે ખાસ કરીને ન્યાયિક પ્રણાલીમાં જોવા મળતા વિરોધાભાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજે અનેક વિદ્યાર્થી કાર્યકરોને કોઈપણ પ્રકારના ટ્રાયલ વગર લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે છે, જ્યારે બીજી તરફ ગંભીર ગુનાઓ આચરનાર વ્યક્તિઓ સરળતાથી જામીન મેળવી લે છે. આ ઉપરાંત, અભિનેતાએ શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલા ફેરફારો અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે, તેમના મતે પાઠ્યપુસ્તકોમાં સુધારાના નામે ઇતિહાસ સાથે છેડછાડ કરીને તેને ફરીથી લખવાના સભાન પ્રયાસો થઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત તરીકે તેમણે સમાજમાં ફેલાઈ રહેલા નફરતના વાતાવરણનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે આજે લોકો પરની દેખરેખ વધી ગઈ છે અને નફરતનું ઝેર 24 કલાક વાતાવરણમાં પ્રસરેલું જોવા મળે છે, જે લોકશાહીના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
નસીરુદ્દીન શાહના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના એક વરિષ્ઠ અધિકારીએ કથિત રીતે એવું કહ્યું હતું કે, 'નસીરુદ્દીન શાહ દેશ વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદનો આપે છે, તેથી તેમને બોલાવવા જોઈએ નહીં.' આ વાત પર વળતો પ્રહાર કરતા અભિનેતાએ કહ્યું કે, 'હું તેમને પડકાર આપું છું કે મારું એવું એક પણ નિવેદન બતાવો જેમાં મેં દેશની નિંદા કરી હોય. હું સત્તાધારી પક્ષની નીતિઓની ટીકા કરું છું, દેશની નહીં.' નસીરુદ્દીન શાહે તાજેતરમાં દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેટલાક પાયાના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે ખાસ કરીને ન્યાયિક પ્રણાલીમાં જોવા મળતા વિરોધાભાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજે અનેક વિદ્યાર્થી કાર્યકરોને કોઈપણ પ્રકારના ટ્રાયલ વગર લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે છે, જ્યારે બીજી તરફ ગંભીર ગુનાઓ આચરનાર વ્યક્તિઓ સરળતાથી જામીન મેળવી લે છે. આ ઉપરાંત, અભિનેતાએ શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલા ફેરફારો અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે, તેમના મતે પાઠ્યપુસ્તકોમાં સુધારાના નામે ઇતિહાસ સાથે છેડછાડ કરીને તેને ફરીથી લખવાના સભાન પ્રયાસો થઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત તરીકે તેમણે સમાજમાં ફેલાઈ રહેલા નફરતના વાતાવરણનો ઉલ્લેખ કર્યો છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે આજે લોકો પરની દેખરેખ વધી ગઈ છે અને નફરતનું ઝેર 24 કલાક વાતાવરણમાં પ્રસરેલું જોવા મળે છે, જે લોકશાહીના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
નેટફ્લિક્સે 'ઘૂસખોર પંડત'નું ટીઝર હટાવ્યું: ભાજપનો દાવો- કેન્દ્ર સરકારે આપ્યો હતો આદેશ
નેટફ્લિક્સે 'ઘૂસખોર પંડત'નું ટીઝર હટાવ્ય...
Feb 07, 2026
Trending NEWS
રેલવે-ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનારા ૨૩ ટકા લોકોની ઓળખ...
23 March, 2026
15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાન...
23 March, 2026
ટ્રમ્પની ધમકી બાદ ઈરાને ચેતવણી, હોર્મુઝ સ્ટ્રેટ સં...
23 March, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1300 પોઈન્ટથી વધુ ગબડ્...
23 March, 2026
ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી...
23 March, 2026
પાકિસ્તાન સુપર લીગ: દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં ર...
22 March, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન દુનિયામાં પ્રથમ નંબરે, 201...
22 March, 2026
લેબનોનમાં ઈઝરાયલનો ટાર્ગેટેડ હુમલો, હિઝબુલ્લાહના '...
22 March, 2026
મધ્ય-પૂર્વમાં સંકટની અસર, શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલ...
22 March, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતમાં હાઈ-લેવલ મીટિંગ, ગ...
22 March, 2026