ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એઈમ્સમાં દાખલ

March 09, 2025

દિલ્હી ઃ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રવિવારે સવારે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. 
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે 'એમ્સ જઇને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને જલદીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. 
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખડને રાત્રે બે વાગે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું એક ગ્રુપ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહ્યું છે. ઉપ રાષ્ટ્રપતિ જગદીશ ધનખડ (ઉ.વ.73 વર્ષ)ની તબિયર હાલ સ્થિર છે. સૂત્રોએ જણાવ્યું હતું 'એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના પ્રમુખ ડૉ. રાજીવ નારંગની દેખરેખમાં કાર્ડિયાક કેર યૂનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ઉપ રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે અને તેમને ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.'