મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, ઘણા લોકોને ઊંઘ નહીં આવે: મોદી
May 02, 2025

8800 કરોડના ખર્ચે તૈયાર વિઝિંજમ પોર્ટ
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કેરળના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ ઉદ્ધાટન સમયે તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ સામેલ થયા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'અહીં મુખ્યમંત્રી વિજયન પણ બેઠા છે, તે તો INDIA ગઠબંધનનો મજબૂત સ્તંભ છે. શશિ થરૂર પણ બેઠા છે. આજનો આ કાર્યક્રમ અનેક લોકોની ઊંઘ ઉડાડી દેશે. જ્યાં આ મેસેજ જવાનો હતો, ત્યાં પહોંચી ગયો છે.'
વધુમાં PMએ આદિ શંકરાચાર્ય વિશે વાત કરતાં કહ્યું કે, 'આજે ભગવાન આદિ શંકરાચાર્યજીની જ્યંતિ છે. ત્રણ વર્ષ પૂર્વે સપ્ટેમ્બરમાં મને તેમની જન્મભૂમિમાં જવાનું સૌભાગ્ય મળ્યું હતું. કેરળથી નીકળી દેશના ચારે ખૂણામાં મઠની સ્થાપના કરી આદિ શંકરાચાર્યે જ રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરી છે. હું તેમને નમન કરું છું.'
વિઝિંજમ પોર્ટ આશરે રૂ. 8800 કરોડના ખર્ચે તૈયાર થયું છે. તેની ટ્રાન્સશિપમેન્ટ હબ ક્ષમતા આગામી સમયમાં ત્રણ ગણી વધશે. તેને મોટા કાર્ગો જહાજને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે. અત્યારસુધી ભારતની 75 ટકા ટ્રાન્સશિપમેન્ટ ગતિવિધિઓ પોર્ટ પરથી થતી હતી. જેના પરિણામરૂપે દેશને મોટું નુકસાન થતુ હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. પહેલાં વિદેશોમાં ખર્ચાતું ધન હવે સ્થાનિક વિકાસમાં ઉપયોગમાં લેવાશે. જેનાથી વિઝિંજમ અને કેરળના લોકો માટે નવી આર્થિક તકોનું સર્જન થશે.
Related Articles
દેશમાં પહેલીવાર નાઇટ લેન્ડિંગ ડ્રીલ થઈ, રાફેલ-સુખોઈ, જેગુઆર લેન્ડ થયા
દેશમાં પહેલીવાર નાઇટ લેન્ડિંગ ડ્રીલ થઈ,...
May 03, 2025
પાકિસ્તાને સતત 9મી રાત્રે LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્તાને સતત 9મી રાત્રે LoC પર યુદ્ધવિ...
May 03, 2025
9 મેના રોજ મોસ્કોમાં યોજાનાર રશિયાના વિજય દિવસ સમારોહમાં રાજનાથ સિંહ ભાગ નહીં લે
9 મેના રોજ મોસ્કોમાં યોજાનાર રશિયાના વિજ...
May 03, 2025
શિરગાંવમાં શ્રી લૈરાઈ 'જાત્રા' દરમિયાન નાસભાગ, 7 લોકોના મોત, 30થી વધુ ઘાયલ
શિરગાંવમાં શ્રી લૈરાઈ 'જાત્રા' દરમિયાન ન...
May 03, 2025
દિલ્હી-NCRમાં મેઘરાજાનો કહેર, વીજળી ગુલ, સાત લોકોના મોત
દિલ્હી-NCRમાં મેઘરાજાનો કહેર, વીજળી ગુલ,...
May 02, 2025
હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી : ખડગે
હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથ...
May 02, 2025
Trending NEWS

02 May, 2025

02 May, 2025