ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી - અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા

January 31, 2023

Upનવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ધાર્મિક યાત્રાએ છે. ન્યુઝીલેન્ડ સામે વન ડે સિરીઝ બાદ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ પહેલા મળેલા બ્રેક દરમિયાન કોહલી અને અનુષ્કા ઋષિકેશ પહોંચ્યા. આ દરમિયાન બંને સ્વામી દયાનંદ સરસ્વીના આશ્રમ પણ પહોંચ્યા. સ્વામી દયાનંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરુ હતા. રિપોર્ટ અનુસાર બંને ધાર્મિક અનુષ્ઠાન માટે ઋષિકેશ પહોંચ્યા છે. ધાર્મિક અનુષ્ઠાન મંગળવારે થવાની શક્યતા છે. આ સિવાય બંનેએ ગુરુની સમાધિ પર પુષ્પ અર્પણ કરીને ધ્યાન પણ લગાવ્યુ. સ્વામી દયાનંદ પીએમ મોદીના આધ્યાત્મિક ગુરુ હતા. પીએમ મોદી પોતે તેમની મુલાકાત કરવા માટે ઋષિકેશના શીશમ ઝાડી સ્થિત સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમ પહોંચ્યા હતા. બાદમાં સ્વામી દયાનંદ બ્રહ્મલીન થઈ ગયા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના આશ્રમ પહોંચ્યા બાદ સૌથી પહેલા દયાનંદ સરસ્વતીની સમાધિ સ્થળ પર તેમની પૂજા-અર્ચના કરી. સાથે જ 20 મિનિટ ધ્યાન પણ કર્યુ. જે બાદ કોહલી અને અનુષ્કાએ દયાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી સાક્ષાતકૃતા નંદ મહારાજના આશીર્વાદ પણ લીધા. રાત્રે તેઓ આશ્રમમાં જ રહેશે. આ સિવાય ત્રણેય આશ્રમના રસોડામાં બનેલુ ભોજન જેમાં રોટલી, શાક, ખિચડી અને કઢી જમ્યા. આ ઉપરાંત આશ્રમમાં નિયમિત થતા યોગ ક્લાસમાં પણ સામેલ થઈ શકે છે.