Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મોત, 50 લોકો બીમાર પડ્યા; બેની ધરપકડ

October 29, 2024

હૈદરાબાદના બંજારા હિલ્સમાં રોડ કિનારે આવેલા સ્ટોલ પરથી મોમોઝ ખાવાથી એક મહિલાનું મોત થયું છે અને અન્ય 50 લોકો બીમાર પડ્યા છે. કેટલાક પીડિતોએ સોમવારે બંજારા હિલ્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને મોમોઝ વેચતા બે લોકોની ધરપકડ કરી છે.

31 વર્ષીય રેશ્મા બેગમ, તેના બાળકો અને સાંગદકુંતા વસાહતના અન્ય કેટલાક લોકોએ શુક્રવારે મોમોઝ ખાધા હતા. શનિવારે તેમણે ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી. તેઓ સારવાર માટે બંજારા હિલ્સની વિવિધ હોસ્પિટલોમાં ગયા હતા. રેશ્મા બેગમની હાલત નાજુક બનતાં તેને નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું.

અધિકારીઓને શંકા છે કે મોમોઝ સિવાય મેયોનીઝ અને ચટણી પણ ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. દરમિયાન, મુથારમ, પેદ્દાપલ્લી સ્થિત કસ્તુરબા ગાંધી ગર્લ્સ સ્કૂલની 36 વિદ્યાર્થિનીઓ ફૂડ પોઇઝનિંગને કારણે બીમાર પડી હતી. તમામને પેદ્દાપલ્લી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર પ્રમોદ કુમારે જણાવ્યું કે તમામ વિદ્યાર્થીનીઓની હાલત સ્થિર છે.