એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા, શ્રદ્ધાળુઓ અંતિમ દર્શન માટે પહોંચ્યા
December 11, 2024

મધ્ય પ્રદેશના નિમાડમાં રહેતા અને એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબા સિયારામ દેવલોક પામ્યા છે. સિયારામ બાબાના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. અંતિમ દર્શન કરવા માટે તેમના શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે. સિયારામ બાબા વિશે કહેવાય છે કે, તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન ભક્તિ-સાધનામાં જ વિતાવી દીધુ છે.
નિમાડના સંત સિયારામ બાબાના નિધન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. મોહન યાદવ પણ બાબાના અંતિમ દર્શન માટે ખરગોન જવાના છે. ખરગોનના એસપી ધરમરાજ મીણાએ જાણકારી આપી છે કે સંત સિયારામ બાબાનું સવારે 6:10 વાગ્યે નિધન થયું હતું.
પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખરગોન સ્થિત આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
સિયારામ બાબા વિશે તેમના સેવકોએ જણાવ્યું છે કે, હનુમાન ભક્ત બાબા મોટાભાગે દાનમાં માત્ર 10 રૂપિયા લેતા હતા. આ રકમ નર્મદા ઘાટ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના સમારકામ માટે આપવામાં આવી હતી. સેવકોના કહેવા પ્રમાણે બાબા બહુ ભણેલા ન હોવા છતાં, તેઓ સતત રામચરિતમાનસનો પાઠ કરતા હતા.
સિયારામ બાબા આશ્રમમાં આવતા ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શનથી ભરી દેતા હતા અને તેમને સકારાત્મક ઉર્જાથી ભરી દેતા હતા, જેના કારણે તેમના શ્રદ્ધાળુઓની સંખ્યા ઝડપથી વધી રહી હતી.
બાબાના સેવકોએ જણાવ્યું કે, સિયારામ બાબાએ 12 વર્ષ સુધી એક પગ પર ઉભા રહીને તપસ્યા કરી હતી. એટલું જ નહીં તેઓ દરેક ઋતુમાં લંગોટી જ પહેરતા હતા. તેઓ પોતાનું કામ કરવા ઉપરાંત ભોજન પણ જાતે જ બનાવતા હતા.
Related Articles
બે દિવસમાં મોટી જાહેરાતની શક્યતા, ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર મંત્રણા અંતિમ તબક્કામાં
બે દિવસમાં મોટી જાહેરાતની શક્યતા, ભારત-અ...
Jul 03, 2025
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરક...
Jul 02, 2025
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી
GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી,...
Jul 02, 2025
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્રથમ દિવસે બે બાઇકો જપ્ત
દિલ્હીમાં જુના વાહનો પર પ્રતિબંધ શરૂ, પ્...
Jul 02, 2025
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ, વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું
એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટ હવામાં ખોટકાઈ...
Jul 02, 2025
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો
અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલ...
Jul 02, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025