Breaking News :

અયોધ્યા દાન ચોરી મામલે SIT દ્વારા 140 પાનાનો રિપોર્ટ તૈયાર, આજે જૂને સુનાવણીની શક્યતા

June 22, 2026

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં થયેલી દાન ચોરીનો મામલો હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ કેસની તપાસ સીબીઆઇ અને અન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવા તેમજ દાનનું ઓડિટ કરાવવાની માંગ સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સમયના અભાવે અગાઉ 19 જૂને આ કેસની સુનાવણી થઈ શકી ન હતી, પરંતુ હવે 22 જૂન એટલે કે સોમવારે ઉનાળુ વેકેશન બેન્ચ સમક્ષ તેની સુનાવણી થવાની શક્યતા છે. અરજદાર વકીલ મોહિત અશોકે કોર્ટને આ મામલે વહેલી સુનાવણી કરવા વિનંતી કરી છે.

બીજી તરફ આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા મહદઅંશે તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. તપાસ પૂર્ણ કરીને આ ટીમ અયોધ્યાથી લખનઉ જવા રવાના થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મામલે 140 પાનાનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ તથ્યો અને મહત્વપૂર્ણ પુરાવાઓની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તપાસ દરમિયાન 113 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બેંકના કર્મચારીઓ અને ટ્રસ્ટ સાથે સંકળાયેલા 30 લોકો શંકાના ઘેરામાં આવ્યા છે. આ ઉપરાંત કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 2000 કલાકના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા છે અને તેને કબજે પણ લેવામાં આવ્યા છે.