દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2નાં મોત, 23 મુસાફરો ઈજાગ્રસ્ત

March 25, 2026

નવી દિલ્હીઃ દિલ્લીના કરોલ બાગ વિસ્તારમાં ઝંડેવાલાન મંદિર નજીક મંગળવારે મોડી રાત્રે એક ડબલ ડેકર બસ અનિયંત્રિત થઈ પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

માહિતી મુજબ બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનની આ બસ હનુમાન મંદિર ચોક નજીક પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મુસાફરોનો સામાન રસ્તા પર છૂટો પડી ગયો હતો.

આ અકસ્માતમાં કુલ 23 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને રાહત ટીમોએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે અને ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે.