Breaking News :
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત એન્જિનની ક્ષમતા ઘટતા અમેરિકાના મિસોરીમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ: 12 મુસાફરોના ઘટનાસ્થળે મોત અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની જાહેરાતથી વાયદા બજારમાં તેજી: સોનામાં 3300 અને ચાંદીમાં 7000 રૂપિયાનો ઉછાળો મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા

ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત

June 15, 2026

મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે વાહન પરથી સંતુલન ગુમાવતા યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ વાન કૂવામાં ખાબકી હતી. આ ગંભીર ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી પ્રમાણે તમામ મૃતકો પંઢરપુરના રાંજણી ગામના રહેવાસી હતા અને તેઓ યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા.

વાહનમાં સવાર લોકો સિદ્ધનાથ મંદિરમાં દર્શન કરવા માટે મ્હસવડ ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે પિકઅપ વાન તાંદુલવાડી ગામ નજીક પહોંચી ત્યારે અચાનક ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે પિકઅપ વાન સીધી કૂવામાં ખાબકી હતી અને આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાને પગલે આસપાસના લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.

આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, વહીવટીતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર 14 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ઘટનાસ્થળે સઘન રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.