Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત

August 11, 2025

અમદાવાદ : અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, નહેરૂનગરમાં ઝાંસીની રાણી નજીક  મોડી રાતે બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભીષણ હતો કે, ટુ વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો છે, કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસની રેલિંગમાં અથડાયું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કારચાલકની પણ અટકાયત કરી છે, મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.