અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ-શશિ થરૂર
November 09, 2025
થરૂરે 98માં જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
કોંગ્રેસના સાંસદ શશિ થરૂર એક નિવેદનના કારણે ફરી ચર્ચામાં આવી ગયા છે. આ વખતે થરૂરે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરીને લાલકૃષ્ણ અડવાણીના રાજકીય કારકિર્દીનો બચાવ કરતું ચોંકાવનારનું નિવેદન આપ્યું છે.
થરૂરે કહ્યું કે, જેમ જવાહરલાલ નેહરુ કે ઈન્દિરા ગાંધીના લાંબા જાહેર જીવનને માત્ર એક ઘટનાથી માપી શકાતું નથી, તેવી જ રીતે આડવાણીના દાયકાઓના રાજકીય યોગદાનને પણ એક માત્ર મુદ્દાના આધારે સીમિત કરવું અયોગ્ય છે.
થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘જેમ નેહરુજીની કેરિયર માત્ર ચીન યુદ્ધ સામેની હારથી વ્યાખ્યાયિત કરવી અયોગ્ય છે, ઈન્દિરા ગાંધીની કેરિયર માત્ર ઈમરજન્સીથી કરવી અયોગ્ય છે, તેવી જ રીતે અડવાણીના લાંબા જાહેર જીવનને માત્ર એક ઘટના સાથે જોડીને જોવું યોગ્ય નથી. અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ.’ થરૂરે અડવાણીને 98માં જન્મ દિવસની શુભેચ્છા આપી અને જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું, ‘આદરણીય એલ.કે.આડવાણીજીને 98માં જન્મદિવસની શુભેચ્છાઓ ! જાહેર સેવા પ્રત્યેની તેમની નિષ્ઠા, વિનમ્રતા અને સદભાવના તથા આધુનિક ભારતની દિશા નક્કી કરવામાં તેમની ભૂમિકા અમિટ છે. તેઓ સાચા રાજનેતા છે, જેમનું જીવન પ્રેરણાદાયક રહ્યું છે. બીજીતરફ થરૂરનું ટ્વિટ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. કેટલાક યુઝર્સ તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે આક્ષેપ કર્યો છે કે, થરૂર આડવાણીના રાજકીય વિવાદાસ્પદ પાસાઓને સફેદ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Related Articles
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની ન...
Dec 04, 2025
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં...
Dec 04, 2025
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધ...
Dec 04, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ...
Dec 04, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ...
Dec 04, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 7 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાન...
Dec 03, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025