Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

જહાજો પર હુમલા બાદ ભારત વિદેશ મંત્રાલય લાલચોળ, અમેરિકાના ડિપ્લોમેટને બીજી વખત સમન્સ

June 12, 2026


ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હોય તેવા 3 જહાજો પર એક બાદ એક હુમલા

દિલ્હી ઃ મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્રકાંઠે જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓ બાદ ભારત ભડક્યું છે. ઓમાનના તટ નજીક વધુ એક ભારતીય જહાજ પર થયેલા હુમલા બાદ, ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'અફેર્સ (US Chargé d’Affaires) જેસન મીક્સને સત્તાવાર રીતે સમન્સ પાઠવીને કડક શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે.


આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શુક્રવારે ભારતે આ મામલે બીજી વખત અમેરિકી ડિપ્લોમેટને બોલાવીને જોરદાર ઠપકો આપ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઓમાનના દરિયામાં વધુ એક મર્ચન્ટ વેસેલ પર ભયાનક હુમલો થયો છે, જેમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. છેલ્લા કેટલાક દિવસની અંદર આ આખા ક્ષેત્રમાં ભારતીય ક્રૂ મેમ્બર્સવાળા જહાજો પર થયેલી આ ત્રીજી મોટી ઘટના છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર થનારા સંભવિત સૈન્ય હુમલાઓને હાલ પૂરતા રદ કરી દીધા છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથે એક નવી મોટી ડીલ તરફ આગળ વધવામાં સફળતા મળી રહી છે, તેથી હુમલા અટકાવવામાં આવ્યા છે. બીજી તરફ, ઈરાને કહ્યું છે કે તેઓ અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે, જોકે હજુ સુધી કોઈ અંતિમ કરાર પર મહોર વાગી નથી.