ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ, UNSCમાં નોંધાવ્યો કડક વિરોધ
June 11, 2026
મિડલ ઈસ્ટ અને ઈરાન સંઘર્ષની વચ્ચે વૈશ્વિક સુરક્ષા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ સામે પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારત આવી હિંસક ઘટનાઓને ક્યારેય સ્વીકારશે નહીં.
છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આ સંઘર્ષમાં કેટલાક ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક ગુમ છે. તાજેતરમાં ઓમાનના કિનારે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં 'સેટેબેલો' નામના કોમર્શિયલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી'એફેયર્સ જેસન મીક્સને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો છે.
UNSC માં ભારતે નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે:
સંયમ અને સંવાદ: તમામ પક્ષોને યુદ્ધ છોડીને વાતચીતનો માર્ગ અપનાવવા અને હિંસા રોકવા હાકલ કરી છે.
વેપાર અને ઉર્જા સુરક્ષા: ગલ્ફ પ્રદેશમાં 10 મિલિયનથી વધુ ભારતીયો કામ કરે છે. આ ક્ષેત્રમાં અસ્થિરતા ભારતની અર્થવ્યવસ્થા અને ઉર્જા પુરવઠા માટે ગંભીર જોખમ છે.
માનવતાવાદી સહાય: ભારત પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે UNRWA ને 2.5 મિલિયન ડોલરની સહાય આપશે.
શાંતિદૂતોની સુરક્ષા: લેબનોનમાં તૈનાત ભારતીય શાંતિદૂતો (UNIFIL) ની સુરક્ષા અંગે ભારત અત્યંત ચિંતિત છે.
ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે યુએનની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. હરીશ પર્વતનેનીએ કહ્યું કે, વિશ્વના નાગરિકોમાં યુએન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે કારણ કે તે સંઘર્ષોને ઉકેલવામાં નિષ્ફળ રહી છે. તેનું મુખ્ય કારણ 80 વર્ષ જૂનું સુરક્ષા પરિષદનું આઉટડેટેડ માળખું છે.
Related Articles
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20 જનતા પાર્ટી કરશે શુદ્ધ પેટ્રોલની માંગ
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પોસ્ટ કરનાર ભાજપ સાંસદની પુત્રીનું ઈન્સ્ટા એકાઉન્ટ બંધ
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પો...
Jul 26, 2026
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી માંગે અને પોલીસ સામે સખત પગલા લેવાય ઃ કોંગ્રેસની આકરી માંગ
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી...
Jul 26, 2026
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને નેપાળ સુધી : યુવાનોએ કર્યા સલામ
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને...
Jul 26, 2026
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો, લાખો લોકો ઘરવિહોણા
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો...
Jul 26, 2026
હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સફર બાદ પૂર્વ CM સિદ્ધારમૈયાની જાહેરાત
હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સ...
Jul 26, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
25 July, 2026