સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરાઈ

May 10, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની સંઘર્ષ અને તણાવભરી સ્થિતિને લઈને સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેકશન ઓફિસર અને બેલિફની પોસ્ટ માટેની એનટીએની 11મીની પરીક્ષા પણ મોકૂફ કરાઈ છે. જ્યારે બીજી બાજુ યુજીસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુનિ.-ઓ-કોલેજોની પરીક્ષાઓ રદ કરવા માટે કોઈ પણ પ્રકારનો પરિપત્ર થયો નથી. સોશિયલ મીડિયામાં ફેક લેટર ફરતો થયો છે.

જ્યારે બીજી બાજુ યુજીસી દ્વારા સ્પષ્ટતા કરવામા આવી છે કે યુનિ.-ઓ અને કોલેજોની પરીક્ષાઓને લઈને કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી કે સર્ક્યુલર કરવામા આવ્યો નથી. સોશિયલ મીડિયામાં યુજીસીના નામે બનાવટી પબ્લિક નોટિસ ફરી રહી છે.જેમાં જણાવવામા આવ્યું છે કે હાલ ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લીધે યુજી,ડિપ્લોમા અને સર્ટિફિકેટ લેવલના તમામ કોર્સની પરીક્ષાઓ તાકીદથી રદ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સલામતી-સુરક્ષાને ઘ્યાને રાખતા તેઓના ઘરે બને તેટલુ જલ્દીથી જતા રહે.જો કે યુજીસીએ સ્પષ્ટતા કરી છે કે આ ફેક નોટિસ છે. યુજીસી દ્વારા આવી કોઈ નોટિસ ઈસ્યુ કરાઈ નથી કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આ પ્રકારની કોઈ સૂચના અપાઈ નથી.