સુડાનમાં વધુ એક હવાઇ હુમલો, બાંગ્લાદેશના 6 શાંતિ રક્ષકોના મૃત્યુ

December 15, 2025

સુડાનના યુએન સુવિધા કેન્દ્ર પર વધુ એક ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 6 શાંતિ રક્ષકોના મોત નીપજ્યા છે. હુમલામાં માર્યા ગયેલા તમામ પીડિત બાંગ્લાદેશી નાગરિકો હતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના જણાવ્યા અનુસાર આ હુમલો મધ્ય ક્ષેત્ર કોર્ડોફાનના કદુગલી શહેરમાં આવેલા શાંતિ મિશનના લોજિસ્ટિક્સ બેઝ પર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અન્ય 8 લોકો ઘાયલ થયાના અહેવાલ મળ્યા છે. હુમલામાં માર્યા ગયેલા તમામ પીડિત બાંગ્લાદેશી નાગરિકો હતા, જે અબ્યેઈ માટેના સંયુક્ત રાષ્ટ્રના આંતરિમ સુરક્ષા દળ (યુનિસ્ફા)માં સેવા આપી રહ્યા હતા.

ગુટેરેસે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષકોને નિશાન બનાવનારા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુદ્ધ અપરાધ ગણાઈ શકે છે. તેમણે આ અનુચિત હુમલા માટે જવાબદાર લોકોને ગુનેગાર ઠેરવવાની માંગ કરી. સુડાની સેનાએ આ હુમલાનો આરોપ રેપિડ સપોર્ટ ફોર્સેસ પર મૂક્યો છે. આરએસએફ સુદાનનો એક કુખ્યાત અર્ધસૈનિક જૂથ છે, જે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી દેશના નિયંત્રણ માટે સેનાની સામે યુદ્ધ કરી રહ્યો છે. આરએસએફ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી નહોતી.