ત્રણ કલાક ED-CBI સોંપી દો, તમામને જેલમાં ધકેલી દઈશ’ રાજ્યસભામાં સંજય સિંહના પ્રહાર
December 17, 2024
દિલ્હી : રાજ્યસભામાં આજે (12 ડિસેમ્બર) બંધારણની ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં દિલ્હીની ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી નામ કપાઈ જવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તુગલકાબાદના બૂથ પરથી અનેક મતદારોના નામ કાપ્યા છે.’ આ આક્ષેપ પર ઉપાધ્યક્ષ હરિવંશે આક્ષેપોને પ્રમાણિત કરવા કહ્યું, તો તેમણે કહ્યું કે, હું આ મુદ્દાને પ્રાણિત કરીને રહીશ. બીજીતરફ ભાજપના ગૃહ નેતા જે.પી.નડ્ડાએ પણ સંજય સિંહના આક્ષેપોનો જવાબ આપ્યો છે.
નડ્ડાએ કહ્યું કે, ‘સંજય સિંહે મતદાર યાદીમાંથી નામ કાપવાનો જે મુદ્દો ઉઠાવ્યો છે, તેની જોગવાઈ પણ તે જ બંધારણમાં છે, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ.’ તેમણે કહ્યું કે, ‘મતદાર યાદીમાં જોવાનું એ છે કે, જેઓના નામ કપાયા છે, તેઓ બાંગ્લાદેશી-રોહિંગ્યાઓ તો નથી.’
નડ્ડાના જવાબ પર સંજય સિંહે રામ સિંહ સહિત અનેક મતદારોના નામ વાંચ્યા અને કહ્યું કે, ‘તમે પૂર્વાંચલના ભાઈઓને રોહિંગ્યા-બાંગ્લાદેશી કહેવાની હિંમત કેવી રીતે કરી. પૂર્વાંચલના ભાઈઓ મહેતન કરી પસીનો વહાવે છે. પૂર્વાંચલના લોકો તમારી જામીનગીરી જપ્ત કરાવશે. તેઓ (ભાજપ) ચૂંટણીમાં ગોટાળો કરીને જીતવા માંગે છે. તમારી આ ચાલ દિલ્હીમાં નહીં ચાલે. તમે ચૂંટણીમાં ગોટાળો કરશો તો બંધારણ કેવી રીતે બચશે’
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે વધુમાં કહ્યું કે, ‘બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યાઓની વાત થઈ રહી છે, જોકે છેલ્લા 10 વર્ષથી કોની સરકાર છે. શું અહીં ટ્રમ્પની સરકાર છે, શું ઓબામાની સરકાર છે. અહીં 10 વર્ષથી મહામાનવની સરકાર છે. હું પૂછવા માંગું છું કે, સરહદ પર સુરક્ષાની જવાબદારી કોની છે. બાંગ્લાદેશની સરહદ ત્રિપુરા, આસામ અને બંગાળને અડીને આવી છે. બાંગ્લાદેશીઓ ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ પાર કરીને દિલ્હીમાં કેવી રીતે આવે? શું તમે ઘાસ કાપવા ગયા હતા?
તેમણે કહ્યું કે, ‘10 વર્ષમાં 10 બાંગ્લાદેશી ઘૂસણખોરોને દિલ્હીમાંથી ભગાડ્યા હોય તો નામ બતાવો. તમે રાજકારણ કેમ રમી રહ્યા છો. અદાણી બાંગ્લાદેશમાં વીજળી સપ્લાય કરે છે. ભારતની વીજળી ચોરી કરીને બાંગ્લાદેશીઓના ઘર રોશન કરે છે અને તમે અમને જ્ઞાન આપી રહ્યા છો. અદાણી ઝારખંડમાંથી વીજળી ચોરી કરીને બાંગ્લાદેશન પહોંચાડે છે. આ બેવડી નીતિ નહીં ચાલે. એકતરફ તમારા લોકો કતારના શેખો સાથે બિઝનેસ કરી રહ્યા છે અને તમે અહીં મુસ્લિમો વિરુદ્ધ હિંસાની વાત કરો છો.’
Related Articles
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચનાં મોત
ભારે વરસાદ, જનજીવન ઠપ : ઉ.પ્રદેશમાં પાંચ...
Jul 10, 2026
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026