હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા
November 02, 2025
ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો વિરોધ
સાબરકાંઠા - સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને જાહેર કરાયેલા નોટિફિકિશને અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. આજે 2 નવેમ્બર, 2025ના રોજ ભાજપના યોજાયેલા બેરણા જિલ્લા પંચાયત સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોએ વિરોધ નોંધાવતા ભાજપના કાર્યકરો દોડતા થયા હતા અને સ્નેહ મિલનનું સ્થળ બદલવું પડ્યું હતું.
એક તરફ હિંમતનગરમાં અલગ-અલગ ગામડાંઓમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી HUDA દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ, આજે રવિવારે હિંમતનગર તાલુકાના ગાંભોઈની ખાનગી હોટલ ખાતે બેરણા જિલ્લા પંચાયત બેઠકનો ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે ખેડૂતોને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને HUDAનો પક્ષ લેનારા લોકોને સદબુદ્ધિ માટે ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે સ્નેહ મિલન કાર્યક્રમ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને ભાગવું પડ્યું હતું અને કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું હતું. ખેડૂતો-ગ્રામજનોનું કહેવું છે કે, 'હિંમતનગરમાં HUDAની વિકાસ કામગીરીને લઈને બહાર પાડેલા નોટિફિકેશને ધ્યાને લેતાં આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક 40 ટકા જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે. જેથી પાયમાલ કરતો વિકાસ, અમને જોઈતો નથી. સમગ્ર મામલે અનેક રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ કે વિચારણ કરવામાં આવી નથી.'
Related Articles
અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય
અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ:...
Feb 09, 2026
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની...
Feb 09, 2026
મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું ઃ પરસોત્તમ સોલંકીનો હુંકાર
મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો...
Feb 08, 2026
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત...
Feb 08, 2026
અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત
અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં 8 લોકોએ બે ય...
Feb 08, 2026
પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, 'સામાજિક બંધારણ' તૈયાર
પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિ...
Feb 08, 2026
Trending NEWS
12 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
11 February, 2026
10 February, 2026
10 February, 2026
10 February, 2026