નાઈજિરિયામાં સેનાના કાફલા પર હુમલો, વિસ્ફોટમાં 27 સૈનિકોના મોત

January 27, 2025

નાઈજીરીયાના ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં જેહાદી હુમલામાં 27 નાઈજીરીયન સૈનિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ સૈનિકોએ બોર્નો અને યોબે રાજ્યો વચ્ચે સ્થિત એક ઉજ્જડ જમીનમાં ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલા આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો છે. નાઈજિરિયન આર્મીના પ્રવક્તા એડવર્ડ બુબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાઈજિરિયન આર્મી દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી ઓપરેશનમાં 252 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા 67 લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા. નાઈજીરીયાના ઉત્તરપશ્ચિમમાં અપહરણ એક સામાન્ય ઘટના બની ગઈ છે, જ્યાં ડઝનબંધ સશસ્ત્ર જૂથો ગામડાઓ અને મુખ્ય રસ્તાઓ પર હુમલા કરવા માટે પ્રદેશની મર્યાદિત સુરક્ષા હાજરીનો લાભ ઉઠાવે છે. ઘણા પીડિતોને ખંડણી ચૂકવ્યા પછી જ મુક્ત કરવામાં આવે છે, જે ક્યારેક હજારો ડોલર સુધી પહોંચે છે.