બસ્તર નક્સલ મુક્ત ! ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓની યાદીમાંથી દૂર કરાયુ

May 28, 2025

દેશમાં નક્સલમુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ગૃહમંત્રી અમિત શાહ પણ કહી ચૂક્યા છે કે 2026 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થઈ જશે. ત્યારે લાગી રહ્યું છે કે તેની શરૂઆત થઇ ગઇ છે. કારણ કે છત્તીસગઢથી નક્સલવાદને નાબૂદ કરવાના અભિયાનમાં બસ્તરે એક ડગલુ આગળ ભર્યુ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બસ્તર જિલ્લાને LWE (ડાબેરી ઉગ્રવાદ) ની યાદીમાંથી દૂર કરવાનો અને તેને વારસાગત જિલ્લાઓની યાદીમાં મૂકવાનો નિર્ણય લીધો છે. બસ્તરના કલેક્ટર હરીશ એસ.એ આ વાતની પુષ્ટિ કરી છે. બસ્તરના કલેક્ટર હરીશ એસ એ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ નિર્ણય વિશે જણાવ્યું હતું કે આ સાથે બસ્તરને LWE હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય પણ બંધ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલય નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓને LWE (ડાબેરી ઉગ્રવાદ) ની શ્રેણીમાં મૂકે છે.

બસ્તર LWE (ડાબેરી ઉગ્રવાદ) શ્રેણીમાં હોવાને કારણે જિલ્લામાં વિકાસ કાર્યો અને નક્સલ નાબૂદી માટે કરોડો રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થયું હતું. આ રકમ માર્ચ 2025 સુધી બસ્તર જિલ્લાને આપવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારે એપ્રિલ 2025 થી LWE ભંડોળ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે બસ્તરને LWE શ્રેણીમાંથી બહાર કાઢવાની પણ જાહેરાત કરવામાં આવી છે.