Breaking News :
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત એન્જિનની ક્ષમતા ઘટતા અમેરિકાના મિસોરીમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ: 12 મુસાફરોના ઘટનાસ્થળે મોત અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની જાહેરાતથી વાયદા બજારમાં તેજી: સોનામાં 3300 અને ચાંદીમાં 7000 રૂપિયાનો ઉછાળો મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા

BCCIએ ચાલુ સીરિઝ વચ્ચે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કર્યો, જાણો કારણ

November 03, 2025

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચેલી ભારતીય T20I ટીમમાંથી સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવને રીલીઝ કરી દેવામાં આવ્યો છે. ત્રીજી T20I માટે કુલદીપને પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે તે ભારત પાછો ફરશે. BCCI એ આની પાછળનું મોટું કારણ જણાવ્યું છે.  ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20I સીરિઝ માટે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કરી દેવામાં આવ્યો છે. BCCI એ કુલદીપ યાદવને ટીમ ઈન્ડિયાની ટીમમાંથી રીલીઝ કરવા અંગે એક નિવેદન જારી કર્યું છે. નિવેદન પ્રમાણે દેશમાં પરત ફર્યા બાદ કુલદીપ દક્ષિણ આફ્રિકા-A ટીમ સામેની બે મેચની અનઓફિશિયલ ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા-A ટીમ માટે રમશે. ભારતીય ટીમ આ મહિને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ રમશે. નોંધનીય છે કે, ભારતીય ટીમ 14 નવેમ્બરથી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. તેની તૈયારી પર BCCIનું ફોકસ છે. આને જ ધ્યાનમાં રાખીને કુલદીપને ટેસ્ટ સીરિઝની તૈયારી માટે પૂરતો સમય મળે તે માટે વહેલા ઘરે બોલાવી લેવામાં આવ્યો છે.