સાઉદી અરેબિયામાં ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીય સહિત 2ના મોત

March 09, 2026

સાઉદી અરેબિયાના દક્ષિણ પશ્ચિમ સરહદી શહેર નાજરાન પર ઈરાનના મિસાઈલ હુમલામાં ભારતીયો સહિત 2 લોકોના મોત થયા છે. આ મિસાઈલ હુમલામાં ઘણા લોકો ઘાયલ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. સાઉદી અરેબિયા યમન તરફથી કરાયેલા હુમલાની આ વર્ષની ત્રીજી ઘટના છે, જેમાં કોઈ ભારતીયનું મોત થયું હોય. અહીંના ભારતીય દૂતાવાસ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પ્રેસ એજન્સીએ એક અધિકારીને ટાંકીને આ હુમલા વિશે માહિતી આપી છે. ગયા સપ્ટેમ્બરમાં યમનના બળવાખોરોએ સાઉદીના જીઝાન પ્રદેશ પર મોર્ટાર હુમલા કર્યા હતા. જેમાં એક ભારતીયનું મોત થયું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આ જ ક્ષેત્રમાં થયેલા બીજા હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું અને વધુ બે ઘાયલ થયા હતા. નોંધનીય છે કે, સાઉદી અરેબિયાના જીઝાન અને નાજરાન પ્રદેશોમાં મોટી સંખ્યામાં ભારતીય કામદારો રહે છે. સાઉદી અરેબિયાની આગેવાની હેઠળનું ગઠબંધન 26 માર્ચથી યમનમાં શિયા હુથી બળવાખોરોને ખતમ કરવા માટે હવાઈ હુમલા કરી રહ્યું છે. યુએનના આંકડા અનુસાર, યમનમાં બળવાખોરો સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 5,800 લોકોના મોત થયા છે અને 27,000થી વધુ ઘાયલ થયા છે.