ભુવનેશ્વરમાં રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલા કેન્દ્રીય વિદ્યાલય પાસે બ્લાસ્ટ

November 28, 2025

પોલીસ-NIA ટીમ દ્વારા તપાસ શરૂ, વિધાનસભામાં વિસ્ફોટનો મુદ્દો ઉઠાવાયો 


ભુવનેશ્વર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાલ ઓડિશાના રાજધાની ભૂવનેશ્વરની મુલાકાતે છે, ત્યારે રાજધાનીના ગાડકણા વિસ્તારમાં એક કેન્દ્રીય વિદ્યાલય પાસે ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ભૂવનેશ્વર વિધાનસભા સત્રમાં સંબોધન કરી રહ્યા, ત્યારે બીજીતરફ વિસ્ફોટની ઘટના બની છે.


રિપોર્ટ મુજબ, બોંબ વિસ્ફોટ થયો ત્યારે ત્યાં એક પણ વ્યક્તિ ન હોવાના કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) ઘટનના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી દીધી છે. ટીમે વિસ્ફોટ સ્થળથી અડધો કિલોમીટર એરીયામાં શોધખોળ શરૂ કરી દીધી છે.
ટીમ દ્વારા સીસીટીવી ફુજેટની પણ તપાસ કરી રહી છે. સ્કૂલ ગેટ પાસે બોંબ કોણે મૂક્યો, તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી. વિધાનસભામાં પણ વિસ્ફોટનો મુદ્દો ઉઠાવાયો છે. વિધાનસભા અધ્યક્ષ સુરમા પાઠીએ શિક્ષણ મંત્રી પાસેથી વિસ્ફોટની માહિતી મેળવી છે. તેમણે ગૃહમાં તમામ માહિતી શેર કરી છે.
મીડિયા અહેવાલો મુજબ, રાજધાની ભુવનેશ્વરના ગાડકણા વિસ્તારમાં આજે સવારે 8.00 કલાકે કેટલાક અજાણ્યા બાઈકસવારો આવ્યા હતા અને તેઓએ કેન્દ્રીય વિદ્યાલયના ગેટ નંબર-3 પાસે બોંબ ફેંક્યો હતો. જો ઘટનામાં કેટલું નુકસાન થયું તેની કોઈ માહિતી સામે આવી નથી.