આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો : પાકિસ્તાનને ભારતનો જવાબ
June 28, 2026
દિલ્હી : પાકિસ્તાનના કરાંચી શહેરમાં પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. તેમાં ભારતનો હાથ હોવાનો પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે ભારતે આતંકને પોષનારા દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, આતંકવાદીઓને પાળનારો દેશ અમારા આંગળી ન ઉઠાવે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાને બીજા પર આક્ષેપ કરવાના બદલે પોતાના દેશમાં ચાલી રહેલા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત પાકિસ્તાન સરકારે આતંકવાદને પોતાની સરકારી નીતિનો ભાગ બનાવવાની આદત પણ છોડી દેવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, 27 જૂને કરાંચીનાં ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારના બ્લોક-6માં આવેલા પાકિસ્તાન રેન્જર્સના હેડક્વાર્ટર નજીક જોરદાર વિસ્ફોટો અને ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાને હુમલા પાછળ જમાત-ઉલ-અહરાર સાથે સંકળાયેલા આતંકવાદીઓનો હાથ હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત આ આતંકવાદી સંગઠનની ભારત સાથે લિંક હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, વિસ્તારમાં કુલ ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાંથી પહેલો વિસ્ફોટ ભયંકર શક્તિશાળી હતો. હુમલાખોરોએ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પાસે જોરદાર વિસ્ફોટ કરીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ત્યાં પાકિસ્તાની સેનાના જવાનોએ તેમને અટકાવી દીધા હતા.
રિપોર્ટ મુજબ, પાકિસ્તાની સેનાના જવાનો અને હુમલાખોરો વચ્ચે થયેલી અથડામણાં ત્રણ આતંકવાદીના મોત થયા છે, જ્યારે એક ઈજાગ્રસ્ત આતંકવાદીને જીવતો પકડી લેવાયો છે. એવી વિગતો સામે આવી છે કે, પકડાયેલા આતંકવાદી અફઘાનિસ્તાનનો નાગરિક છે. આ ઘટનામાં પાકિસ્તાની સેનાના ત્રણ જવાનોના પણ મોત થયા છે, જ્યારે 4 જવાનને ઈજા થઈ છે.
Related Articles
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્...
Jun 28, 2026
ભારતમાં ઋતુ ચક્ર ખોરવાયું: વર્ષ 2009 જેવા ભયાનક દુષ્કાળની આશંકા
ભારતમાં ઋતુ ચક્ર ખોરવાયું: વર્ષ 2009 જેવ...
Jun 28, 2026
દક્ષિણ ભારતમાં કોંગ્રેસે વધારી ચિંતા, ભાજપ મુશ્કેલીમાં?
દક્ષિણ ભારતમાં કોંગ્રેસે વધારી ચિંતા, ભા...
Jun 28, 2026
અમરાવતી જિલ્લામાં કાર ટ્રક પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બન્યા
અમરાવતી જિલ્લામાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા...
Jun 28, 2026
અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું છે : મોદી
અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહા...
Jun 28, 2026
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાને તેના પ્રેમીએ ઉશ્કેરી હતી
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાન...
Jun 26, 2026
Trending NEWS
27 June, 2026
27 June, 2026
27 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
25 June, 2026