આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો : પાકિસ્તાનને ભારતનો જવાબ
June 28, 2026
દિલ્હી : પાકિસ્તાનના કરાંચી શહેરમાં પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. તેમાં ભારતનો હાથ હોવાનો પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે ભારતે આતંકને પોષનારા દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, આતંકવાદીઓને પાળનારો દેશ અમારા આંગળી ન ઉઠાવે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાને બીજા પર આક્ષેપ કરવાના બદલે પોતાના દેશમાં ચાલી રહેલા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત પાકિસ્તાન સરકારે આતંકવાદને પોતાની સરકારી નીતિનો ભાગ બનાવવાની આદત પણ છોડી દેવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, 27 જૂને કરાંચીનાં ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારના બ્લોક-6માં આવેલા પાકિસ્તાન રેન્જર્સના હેડક્વાર્ટર નજીક જોરદાર વિસ્ફોટો અને ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાને હુમલા પાછળ જમાત-ઉલ-અહરાર સાથે સંકળાયેલા આતંકવાદીઓનો હાથ હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત આ આતંકવાદી સંગઠનની ભારત સાથે લિંક હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, વિસ્તારમાં કુલ ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાંથી પહેલો વિસ્ફોટ ભયંકર શક્તિશાળી હતો. હુમલાખોરોએ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પાસે જોરદાર વિસ્ફોટ કરીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ત્યાં પાકિસ્તાની સેનાના જવાનોએ તેમને અટકાવી દીધા હતા.
રિપોર્ટ મુજબ, પાકિસ્તાની સેનાના જવાનો અને હુમલાખોરો વચ્ચે થયેલી અથડામણાં ત્રણ આતંકવાદીના મોત થયા છે, જ્યારે એક ઈજાગ્રસ્ત આતંકવાદીને જીવતો પકડી લેવાયો છે. એવી વિગતો સામે આવી છે કે, પકડાયેલા આતંકવાદી અફઘાનિસ્તાનનો નાગરિક છે. આ ઘટનામાં પાકિસ્તાની સેનાના ત્રણ જવાનોના પણ મોત થયા છે, જ્યારે 4 જવાનને ઈજા થઈ છે.
Related Articles
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જાહેરાત
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર...
Jul 26, 2026
‘હવે દેશભરમાં...’ આંદોલન ખતમ થયા બાદ શું કરશે CJP? આશુતોષ રાંકાએ બતાવ્યો પ્લાન
‘હવે દેશભરમાં...’ આંદોલન ખતમ થયા બાદ શું...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશંસા… જાણો નવા શિક્ષણ મંત્રીએ શું કહ્યું
ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશ...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી, દીપકેએ કહ્યું- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મં...
Jul 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું, વિદ્યાર્થી આંદોલન સામે ઝૂકી કેન્દ્ર સરકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી...
Jul 25, 2026
જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બાદ અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ, શ્રદ્ધાળુઓમાં ખુશી
જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બ...
Jul 25, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026