Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

કેદારનાથમાં પેટા ચૂંટણી: ભાજપ અને કોંગ્રેસ માટે આબરૂ બચાવવાની જંગ

November 12, 2024

અયોધ્યા : અયોધ્યા અને બદ્રીનાથની ચૂંટણી બાદ દરેકની નજર કેદારનાથ વિધાનસભા બેઠક પર થનારી પેટાચૂંટણી પર ટકેલી છે. કેદારનાથ પેટાચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે, જ્યારે કોંગ્રેસ આ ચૂંટણી જીતીને પોતાનું ગુમાવેલું રાજકીય મેદાન પાછું મેળવવા માંગે છે. આ જ કારણ છે કે, કેદારનાથ પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. 


કેદારનાથ વિધાનસભા પેટાચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન યોજાવાનું છે, તે પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માત્ર લોકોના દરવાજે નથી જઈ રહ્યા, પરંતુ ચૂંટણીમાં તેમની જીત થાય તે માટે આશીર્વાદ લેવા ભગવાનના દરવાજે પણ જઈ રહ્યા છે. કેદારનાથ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. કેદારનાથ મતવિસ્તારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મનોજ રાવત અને ભાજપના પૂર્વ ધારાસભ્ય આશા નૌતિયાલ સામે જોરદાર ટક્કર થાય તેવું જોવા મળી રહ્યું છે. 


કેદારનાથ વિધાનસભા બેઠક ભાજપ ધારાસભ્ય શૈલા રાની રાવતના નિધન બાદ ખાલી થઈ છે. આ બેઠક પર અત્યાર સુધીમાં પાંચ વખત ચૂંટણી થઈ છે, જેમાં ત્રણ વખત ભાજપ અને બે વખત કોંગ્રેસનો વિજય થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જામ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે બાજી કોના હાથે લાગે છે તે જોવાનું રહ્યું.


કેદારનાથ વિધાનસભા બેઠક પર ઘણા મુદ્દા મહત્ત્વના છે પરંતુ રોજગાર, રસ્તા અને સૌથી મહત્ત્વનો મુદ્દો કેદારનાથ યાત્રાનો છે, કારણ કે કેદારનાથ યાત્રા આ ક્ષેત્રની આર્થિક કરોડરજ્જુ છે. કોંગ્રેસના ઉમેદવાર મનોજ રાવત જીતનો દાવો કરી રહ્યા છે અને ભાજપ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, હાલમાં ભાજપ સરકાર સત્તામાં છે. પરંતુ આ વિસ્તારનો વિકાસ થયો નથી, આ સિવાય 'કેદારનાથ યાત્રા' પણ આ ચૂંટણીમાં એક મુદ્દો છે.