Breaking News :
થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી

છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી

August 08, 2026

આ વર્ષે મે મહિનામાં લેવાયેલી નીટ-યુજી પરીક્ષાનું પેપર ફૂટી જતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. તપાસ એજન્સી સીબીઆઈએ કોર્ટમાં 94 પાનાની ચાર્જશીટ દાખલ કરીને અનેક ખુલાસા કર્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ ઘટના કોઈ એક-બે વ્યક્તિ દ્વારા આચરવામાં આવી નથી, પરંતુ પરીક્ષાનું આયોજન કરનાર એનટીએના અંદરના લોકો, શિક્ષકો અને અનેક રાજ્યોમાં ફેલાયેલા સિન્ડિકેટ દ્વારા સંગઠિત રીતે આચરવામાં આવી છે. એનટીએ દ્વારા સુરક્ષા આયોજનમાં મોટી ખામી રહી ગઈ હોવાનો પણ ખુલાસો થયો છે, પેપર તૈયાર કરવા અને ભાષાંતર સહિતની કામગીરી જ્યાં થઈ રહી હતી ત્યાં સીસીટીવી દ્વારા યોગ્ય મોનિટરિંગ થયું નહોતું.

બીજી તરફ છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને લઈને મોટું અવલોકન કર્યું છે. લોક સેવા આયોગની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા પૂર્વ આઈએએસ અધિકારીની જામીન અરજી ફગાવતી વખતે હાઇકોર્ટે કહ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરાવવા એ હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગુનો છે. પેપર લીક થવાથી લાખો ઉમેદવારોની કારકિર્દી બરબાદ થઈ જાય છે અને સમાજ પર ખૂબ ખરાબ અસર પડે છે. દેશભરમાં પેપર લીક મુદ્દે વિવાદ વચ્ચે કોર્ટે આ અવલોકન સાથે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

સીબીઆઈએ ચાર્જશીટમાં નીટ-યુજી પેપર કઈ રીતે લીક થયું તેની વિગતવાર માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા મુજબ પેપર સેટની સમગ્ર કામગીરી ચાર મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થાય છે, જેમાં આઇટમ રાઇટિંગ, મોડરેશન, ચકાસણી અને ભાષાંતરનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા આઇટમ રાઇટિંગમાં નિષ્ણાતોને બોલાવી સવાલો અને જવાબો રજૂ કરવા કહેવામાં આવે છે, જોકે તેમના સવાલ-જવાબ અંતિમ પેપરમાં સામેલ થશે કે કેમ તે ગુપ્ત રાખવામાં આવે છે. ત્યારબાદ એનટીએ દ્વારા ચાર સેટ તૈયાર કરવા માટે નિષ્ણાતો પાસેથી પ્રશ્નો મંગાવવામાં આવે છે.