મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકસરના પગલાં: મંત્રીઓ-અધિકારીઓના પ્રવાસ પર કાપ સહિત 11 નિયમો જાહેર
May 20, 2026
ગુજરાતમાં સરકારી તિજોરી પરનો બોજ ઘટાડવા ભૂપેન્દ્ર પટેલ સરકારે એક પરિપત્ર જાહેર કરી ૧૧ કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો મુજબ મંત્રીઓ અને અધિકારીઓના બિનજરૂરી વિદેશ તથા જિલ્લા બહારના પ્રવાસ પર પ્રતિબંધ મૂકાયો છે. રૂબરૂ બેઠકોને બદલે વર્ચ્યુઅલ મીટિંગ્સ, ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ અને સરકારી કાર્યક્રમો સાદગીથી યોજવા જેવા કરકસરના મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે.
ક્યા 11 નિયમ બનાવ્યા
- પ્રવાસ ટાળીને મીટિંગ્સ માટે વીડિયો કોન્ફરન્સિંગ કે ઓનલાઈન માધ્યમોનો જ ઉપયોગ કરવો.
- અનિવાર્ય સંજોગો સિવાય સરકારી ખર્ચે વિદેશ પ્રવાસ કે વિદેશી તાલીમ ટાળવી.
- અન્ય રાજ્યોની બેઠકોમાં ઓનલાઈન જોડાવું; રૂબરૂ જવું પડે તો વધારાના સ્ટાફને સાથે ન લઈ જવો.
- જિલ્લા બહારની મુસાફરી બને ત્યાં સુધી ટાળવી; અત્યંત જરૂરી હોય તો જ ઉપરીની પૂર્વમંજૂરી લેવી.
- વધારાના સરકારી વાહનો જમા કરાવવા; એકથી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓએ માત્ર એક જ વાહન રાખવું.
- વાહનોનો વિકલ્પ ઉપલબ્ધ હોય ત્યાં ઈલેક્ટ્રિક (EV) કે હાઈબ્રિડ વાહનોનો જ ઉપયોગ કરવો.
- ખાનગી વાહનો ટાળીને મેટ્રો, બસ કે રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરવો.
- આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન ફરજિયાત લેવું.
- સરકારી ખરીદીમાં સ્વદેશી, સ્થાનિક અને MSME ઉત્પાદનોને જ વિશેષ પ્રાથમિકતા આપવી.
- ગભરાટમાં લોકો દ્વારા થતી આડેધડ ખરીદી અને સંગ્રહખોરી રોકવા જનજાગૃતિ અભિયાન ચલાવવું.
- સરકારી કાર્યક્રમો સાદગીથી યોજવા અને લોકાર્પણ બને ત્યાં સુધી વર્ચ્યુઅલ (ઓનલાઈન) જ કરવા.
Related Articles
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આ...
May 19, 2026
અબડાસાના લુણા ટાપુ પરથી અલગ પેકિંગમાં શંકાસ્પદ પેકેટ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક
અબડાસાના લુણા ટાપુ પરથી અલગ પેકિંગમાં શં...
May 18, 2026
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ક્રૂર હત્યા
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા ને...
May 18, 2026
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તાન
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની...
May 17, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત્રણ દિવસ બાદ પારો ગગડશે
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, ત...
May 16, 2026
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્...
May 16, 2026
Trending NEWS
19 May, 2026
19 May, 2026
18 May, 2026