Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

મોદી અંગે અપશબ્દો વાપરનાર યુવતીના બચાવમાં CJP,કહ્યું ગાળો બોલવી એ કોઈ અપરાધ નથી

July 31, 2026

દિલ્હી : દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરવા બદલ નોઈડાની 25 વર્ષીય રુચિકા સિંહ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR બાદ હવે કોકરોચ જનતા પાર્ટી રુચિકાના સમર્થનમાં આવી છે અને આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે.
CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર રુચિકાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, 'વિરોધ પ્રદર્શન દરમિયાન અયોગ્ય ભાષાના ઉપયોગની નિંદા થઈ શકે છે, પરંતુ તેના માટે ક્રિમિનલ કેસ દાખલ કરીને 25 વર્ષની યુવતીને નિશાન બનાવવી તે બિલકુલ ખોટું છે.તેમણે ઉમેર્યું હતું કે રોજિંદા જીવનમાં પણ લોકો આવી ભાષા વાપરતા હોય છે, ત્યારે આ પ્રક્રિયા દ્વારા યુવાનોને ડરાવવાનું બંધ કરીને તે યુવતીને મુક્ત કરવી જોઈએ.


સૌરવ દાસે સાંસદો પર નોંધાયેલા કેસોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, લોકસભામાં 50% થી વધુ સાંસદો પર રેપ, હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાહિત કેસો ચાલી રહ્યા છે, જેમાં 100 થી વધુ સાંસદો તો ભાજપના જ છે.' પોલીસે પોતાની શક્તિ અને ઊર્જા યુવાનોને હેરાન કરવાના બદલે આવા ગંભીર ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં વાપરવી જોઈએ.

દિલ્હી સરકારના નોટિફિકેશન અંગે માહિતી આપતા સૌરવ દાસે જણાવ્યું હતું કે, 'દિલ્હી સરકારના હિસાબે 13 FIR નોંધાઈ છે, પરંતુ અમારી માહિતી મુજબ 20 FIR છે.' તેમણે માંગ કરી છે કે સરકારે નોટિફિકેશનમાં યોગ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ અને સ્પષ્ટ કરવું જોઈએ કે ભવિષ્યમાં પ્રદર્શનકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય. આ તમામ FIR ને બંધ ગણવામાં આવે અને અટકાયત કરાયેલા કે ધરપકડ કરાયેલા લોકોને વહેલી તકે છોડી મુકવામાં આવે.