નાગપુરમાં હિંસા બાદ 10 સ્થળોએ કર્ફ્યુ, રાતભર પોલીસ એલર્ટ, 65 ઉપદ્રવીની અટકાયત
March 18, 2025
ઔરંગઝેબની કબરને લઈને થયેલા વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહેલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
પ્રથમ હિંસા નાગપુરના મહેલમાં થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઉશ્કેરાયેલા ટોળાએ 25થી વધુ બાઇક અને ત્રણ કારને આગ ચાંપી દીધી હતી. અત્યાર સુધીમાં 60 થી 65 તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે 25 થી 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
આ હિંસા સંભાજી નગરમાં ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વચ્ચે થઈ હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આ મકબરાને તોડી પાડવાની માંગ કરી હતી. બંને જૂથોએ સોમવારે સવારે નાગપુરમાં વિરોધ પણ કર્યો હતો, જેના કલાકો પછી હિંસા ફાટી નીકળી હતી.
Related Articles
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 7 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાન...
Dec 03, 2025
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને...
Dec 03, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં મોટી ચૂક, શંકાસ્પદ યુવક સ્ટેજ પર પહોંચ્યો
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની...
Dec 03, 2025
ટેકનિકલ ખામી બાદ એરપોર્ટ ચેક-ઇન સિસ્ટમ પુનઃસ્થાપિત, અનેક ફ્લાઇટ્સને અસર
ટેકનિકલ ખામી બાદ એરપોર્ટ ચેક-ઇન સિસ્ટમ પ...
Dec 03, 2025
હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, તમામ રાજભવનનું નામ બદલીને 'લોકભવન'
હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન ક...
Dec 02, 2025
સંચાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં રાખવી જરૂરી નહીં, વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા
સંચાર સાથી એપ ડિલીટ કરી શકાશે, મોબાઈલમાં...
Dec 02, 2025
Trending NEWS
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025