નાગપુરમાં હિંસા બાદ 10 સ્થળોએ કર્ફ્યુ, રાતભર પોલીસ એલર્ટ, 65 ઉપદ્રવીની અટકાયત
March 18, 2025

ઔરંગઝેબની કબરને લઈને થયેલા વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહેલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
પ્રથમ હિંસા નાગપુરના મહેલમાં થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઉશ્કેરાયેલા ટોળાએ 25થી વધુ બાઇક અને ત્રણ કારને આગ ચાંપી દીધી હતી. અત્યાર સુધીમાં 60 થી 65 તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે 25 થી 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
આ હિંસા સંભાજી નગરમાં ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વચ્ચે થઈ હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આ મકબરાને તોડી પાડવાની માંગ કરી હતી. બંને જૂથોએ સોમવારે સવારે નાગપુરમાં વિરોધ પણ કર્યો હતો, જેના કલાકો પછી હિંસા ફાટી નીકળી હતી.
Related Articles
મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી
મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ...
Jul 14, 2025
શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવવા માટે રવાના, કાલે કેલિફોર્નિયામાં કરશે સ્પ્લેશડાઉન
શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી...
Jul 14, 2025
'એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હતું', અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ પર એર ઇન્ડિયાના CEOની પ્રથમ પ્રતિક્રિયા
'એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હ...
Jul 14, 2025
સમાજમાં એવા લોકો પણ જરૂરી, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેઃ નીતિન ગડકરીનું ચોંકાવનારૂ નિવેદન
સમાજમાં એવા લોકો પણ જરૂરી, જે સરકાર વિરૂ...
Jul 14, 2025
50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય
50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં...
Jul 14, 2025
દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી 6 દિવસથી ગુમ ત્રિપુરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો
દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી 6 દિવસથી ગુમ...
Jul 14, 2025
Trending NEWS

14 July, 2025

14 July, 2025

14 July, 2025

14 July, 2025
14 July, 2025
14 July, 2025
14 July, 2025

14 July, 2025
14 July, 2025

13 July, 2025