દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ
October 28, 2025
દેવઊઠી અગિયારસ આ વખતે શનિવાર, 1 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને દેવઊઠી અગિયારસ કે દેવ પ્રબોધિની અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીથી તમામ માંગલિક કાર્યો જેવા કે, લગ્ન સંસ્કાર, મુંડન સંસ્કાર વગેરે જેવા તમામ શુભ કાર્યોની શરુઆત થાય છે અને ચાર મહિનાના ચાતુર્માસનું સમાપન થાય છે.
આ વર્ષે દેવઉઠી એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે, આ દિવસે એક ખાસ યોગ બની રહ્યો છે. હકીકતમાં, આ દિવસે રવિ યોગ અને રુચક મહાપુરુષ રાજયોગનું સંયોગ બની રહ્યો છે. દેવઊઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ લગભગ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગે છે. જે કેટલીક રાશિઓ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરશે.
1. મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આર્થિક રીતે લાભદાયક સમય આવી શકે છે. અચાનક નાણાકીય લાભ મળવાની શક્યતા છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં કોઈ સારા સમાચાર આવી શકે છે. ખુશીઓ સાથે નવા દિવસની શરુઆત થશે.
2. કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને વ્યવસાયમાં પ્રગતિના સંકેતો દેખાઈ રહ્યા છે. આ સાથે સહકર્મીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આ સમય આર્થિક રીતે ખૂબ જ અનુકૂળ રહેશે. તમે કોઈ નવો પ્રોજેક્ટ અથવા કાર્ય શરુ કરવાની હિંમત એકઠી કરી શકો છો. તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.
3. વૃશ્ચિક રાશિ
દેવઊઠી એકાદશી વૃશ્ચિક રાશિના જાતકો માટે ભાગ્ય પ્રબળ થશે. કરિયરમાં પ્રગતિ અને સમ્માન મળવાની શક્યતા છે. આ સમય રોકાણ માટે શુભ સાબિત થશે. નાણાકીય રીતે તમારી પરિસ્થિતિ પહેલા કરતાં વધુ સ્થિર અને મજબૂત બનશે.
4. કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ સમય અનેક સિદ્ધિઓથી ભરેલો રહેશે. મોટાભાગના પ્રયાસો સફળ થશે. સમાજમાં માન- સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વૈવાહિક જીવનમાં સંવાદિતા અને પ્રેમ વધશે. આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પ્રગતિ અને સફળતા લાવશે.
Related Articles
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે કૃપા, ધન-દૌલતની અછત નહીં રહે
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે...
Oct 25, 2025
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિના જાતકો પર માતા લક્ષ્મીની અપાર કૃપા થશે
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિ...
Oct 20, 2025
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું વર્ષ તમામ રાશિઓ માટે કેવું રહેશે? જાણો કેવા છે ગ્રહોના સંકેત
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું...
Oct 18, 2025
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા!
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ,...
Oct 16, 2025
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ...
Oct 14, 2025
ધનતેરસ પહેલા સિંહ-તુલા સહિત આ 4 રાશિના જાતકો પર થશે લક્ષ્મી કૃપા, સૂર્ય-મંગળની યુતિની અસર
ધનતેરસ પહેલા સિંહ-તુલા સહિત આ 4 રાશિના જ...
Oct 13, 2025
Trending NEWS
29 October, 2025
29 October, 2025
29 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025