ધરા ધ્રૂજી: અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ
October 27, 2024
અમરેલી : સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તેની તીવ્રતા 3.7 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, ધારીથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. જેની પુષ્ટિ ગાંધીનગર સિસ્મોલોજિ ડિપાર્ટમેન્ટે કરી છે. રાજકોટના જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તાર, અમરેલી શહેર સહિત આસપાસના સાવરકુંડલા, ધારી, ચલાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડી સેકન્ડ માટે અવાજની સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોરદાર ભૂકંપનો આંચકો આવતા સાવરકુંડલાના મીતીયાળા, ધજડી, સાકરપરા, તાતણીયા સહિતના ગામો ધણધણી ઊઠ્યા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘર અને દુકાનોની બહાર દોડી આવ્યા હતા. જણાવી દઈએ કે, એકથી દોઢ દાયકામાં આ પ્રકારનો ભૂકંપનો આંચકો આ વિસ્તારમાં નથી આવ્યો.
ખાંભાના તાતણીયા ગામે ભૂકંપનો આચકો આવતા લોકો ઘરની બહાર ભાગ્યા હતા. તાતણીયા ગામે હીરાના કારખાનામાં ભૂકંપના આંચકાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભૂકંપનો આંચકો આવ્યા બાદ હીરાના કારખાનેદારો બહાર ભાગતા નજરે પડી રહ્યા છે.
સિનિયર સિસ્મોલોજિસ્ટે સંતોષકુમાર કહ્યું કે, 'જાનહાનિ કે કોઈ નુકસાની થઈ નથી. ભુકંપના અનેક કારણો હોય છે. ભારે વરસાદને કારણે પણ ભુકંપ આવ્યો હોવાની શક્યતા હોઈ શકે. સાથે જ કોઈ સેક્શન એક્ટિવ હોવાના કારણે ભુકંપ આવ્યો હોઈ શકે છે. હજુ આફ્ટર શોક પણ આવી શકે છે. આ મેગ્નિટ્યૂડમાં કોઈ નુકસાનની શક્યતા નથી.'
Related Articles
અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય
અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ:...
Feb 09, 2026
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની સંખ્યા 3.11 કરોડ થઈ, 10 વર્ષમાં 70% વધી ગયા
ટ્રાફિકની સમસ્યા વચ્ચે ગુજરાતમાં વાહનોની...
Feb 09, 2026
મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું ઃ પરસોત્તમ સોલંકીનો હુંકાર
મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો...
Feb 08, 2026
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત
સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત...
Feb 08, 2026
અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં 8 લોકોએ બે યુવકો પર કર્યો હુમલો, એકનું મોત
અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં 8 લોકોએ બે ય...
Feb 08, 2026
પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, 'સામાજિક બંધારણ' તૈયાર
પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિ...
Feb 08, 2026
Trending NEWS
09 February, 2026
09 February, 2026
08 February, 2026
08 February, 2026
08 February, 2026
08 February, 2026
08 February, 2026
08 February, 2026
08 February, 2026
08 February, 2026