હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
May 09, 2026
જામ સલાયા : 7-8 મેની રાત્રે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાસે ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર થયેલા ડ્રોન હુમલા અંગે મહત્ત્વના અપડેટ્સ સામે આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ 'અલ ફૈઝ નૂર સુલેમાની' પર થયેલા હુમલા અંગે ખાનગી ચેનલ સાથે વાત કરતાં ઇન્ડિયન સેલિંગ વેસલ્સ ઍસોસિએશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ભારતીય જહાજ 'અલ ફૈઝ નૂર સુલેમાની' દુબઈથી યમન જઈ રહ્યું હતું. 07-08 મે 2026ની મધ્યરાત્રિએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાસે પહોંચતી વખતે તે 'ક્રોસફાયર'માં ફસાઈ ગયું હતું. આ હુમલો કોણે કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
ઉપલબ્ધ માહિતી મુજબ, 7-8 મેની મધ્યરાત્રિએ ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ડ્રોન દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે રાત્રે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અનેક હુમલા અને વળતા હુમલા થઈ રહ્યા હતા, કારણ કે તે સમયે 3 અમેરિકન યુદ્ધ જહાજો આ સ્ટ્રેટ પસાર કરી રહ્યા હતા. હુમલા સમયે જહાજ પર 18 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ હુમલામાં ભારતીય નાવિક અલ્તાફ તલાબ કેરનું મોત થયું હતું, જ્યારે 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા. તમામ 4 ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ હૉસ્પિટલમાં છે. એક ભારતીય ક્રૂ મેમ્બરનો હાથ ભાંગી ગયો છે, બીજાને દાઢી પર કોઈ તીક્ષ્ણ વસ્તુ વાગી છે, જ્યારે અન્ય બે સભ્યો નજીવી રીતે દાઝી ગયા છે.
મૃત્યુ પામનાર નાવિક ગુજરાતના દ્વારકાના જામ સલાયા વિસ્તારના રહેવાસી છે. તેમના પત્ની આજે દ્વારકા પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ ઍસોસિએશનના જનરલ સેક્રેટરી એડમ ભાયાએ જણાવ્યું કે અમે ભારતીય વાણિજ્ય દૂતાવાસને પત્ર લખીને મૃતક નાવિકના અંતિમ સંસ્કાર સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ માંગી છે. પીડિત પરિવાર નક્કી કરશે કે તેઓ દુબઈમાં અંતિમ સંસ્કાર કરવા માંગે છે કે મૃતદેહને ભારત પરત લાવવા માંગે છે.
ઉપલબ્ધ માહિતી મુજબ, 7-8 મેની મધ્યરાત્રિએ ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ડ્રોન દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે રાત્રે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અનેક હુમલા અને વળતા હુમલા થઈ રહ્યા હતા, કારણ કે તે સમયે 3 અમેરિકન યુદ્ધ જહાજો આ સ્ટ્રેટ પસાર કરી રહ્યા હતા. હુમલા સમયે જહાજ પર 18 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ હુમલામાં ભારતીય નાવિક અલ્તાફ તલાબ કેરનું મોત થયું હતું, જ્યારે 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા. તમામ 4 ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ હૉસ્પિટલમાં છે. એક ભારતીય ક્રૂ મેમ્બરનો હાથ ભાંગી ગયો છે, બીજાને દાઢી પર કોઈ તીક્ષ્ણ વસ્તુ વાગી છે, જ્યારે અન્ય બે સભ્યો નજીવી રીતે દાઝી ગયા છે.
મૃત્યુ પામનાર નાવિક ગુજરાતના દ્વારકાના જામ સલાયા વિસ્તારના રહેવાસી છે. તેમના પત્ની આજે દ્વારકા પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ ઍસોસિએશનના જનરલ સેક્રેટરી એડમ ભાયાએ જણાવ્યું કે અમે ભારતીય વાણિજ્ય દૂતાવાસને પત્ર લખીને મૃતક નાવિકના અંતિમ સંસ્કાર સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ માંગી છે. પીડિત પરિવાર નક્કી કરશે કે તેઓ દુબઈમાં અંતિમ સંસ્કાર કરવા માંગે છે કે મૃતદેહને ભારત પરત લાવવા માંગે છે.
Related Articles
ઉત્તરપ્રદેશ, બંગાળ અને બિહારમાં વરસાદ-આંધીનો કહેર, 26 લોકોના મોત
ઉત્તરપ્રદેશ, બંગાળ અને બિહારમાં વરસાદ-આં...
May 30, 2026
મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો
મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 ર...
May 30, 2026
કર્ણાટકમાં ગોવિંદપુર ગામમાં બે પરિવારો વચ્ચે જમીનની અદાવતમાં લોહિયાળ ખેલ, 6 લોકોના શબના ટુકડા કરાયા
કર્ણાટકમાં ગોવિંદપુર ગામમાં બે પરિવારો વ...
May 30, 2026
અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક
અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વ...
May 30, 2026
હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટી પડતાં 6 શ્રમિકોના કરૂણ મોત
હમીરપુર બ્રિજ હોનારત: બેતવા નદી પર નિર્મ...
May 29, 2026
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઇકોર્ટે X એકાઉન્ટ રિસ્ટોર કરવાની માગ ફગાવી
કોકરોચ જનતા પાર્ટીને ઝટકો: દિલ્હી હાઇકોર...
May 29, 2026
Trending NEWS
પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટ NTA પર લાલઘૂમ! કહ્યું...
29 May, 2026
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી:...
27 May, 2026