હીરાજડિત ઘડિયાળ, સોનાનો હાર અને 10 પાટલા... મહાકુંભમાં પર્યાવરણ બાબાનો અનોખો અંદાજ

December 16, 2024

પ્રયાગરાજમાં જાન્યુઆરી 2025થી કુંભમેળો લાગી રહ્યો છે. 13 જાન્યુઆરી 2025થી લાગનારા વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળામાં ઘણા નામી બાબાએ પહોંચવાનું શરુ કરી દીધું છે. આ બાબા મેળામાં આવતાં શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરશે. હાથમાં સોનાના પાટલા અને હીરાજડિત ઘડિયાળ પહેરનાર પર્યાવરણ બાબા પહોંચી ગયા છે. મહામંડલેશ્વર અવધૂત બાબાનું અસલી નામ અરુણગિરી મહારાજ છે, પરંતુ તેમને એનવાયરમેન્ટ બાબા એટલે કે પર્યાવરણબાબા કહેવામાં આવે છે. જે અત્યાર સુધી સમગ્ર દેશમાં એક કરોડ છોડ લગાવી ચૂક્યા છે અને તમામને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનું કાર્ય કરે છે, આ જ કારણ છે કે આ વખતે કુંભમાં બાબા પોતાના શ્રદ્ધાળુઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરશે સાથે જ તેમની પાસે આવનાર શ્રદ્ધાળુઓને છોડ પણ ભેટ આપશે. સંગમની રેતી પર આયોજિત થનાર આ કુંભમાં દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ શ્રદ્ધાળુ સામેલ થશે. 12 વર્ષે થનાર ધાર્મિક આયોજનને ગ્રીન કુંભનું સ્વરૂપ આપવાની પહેલ કરવામાં આવી રહી છે. કુંભ મેળો 2025ની શરુઆત ભલે 13 જાન્યુઆરીથી થાય પરંતુ સાધુઓનું અખાડામાં આવવાનો સિલસિલો શરુ થઈ ગયો છે. સાથે જ અખાડાએ છાવણી પ્રવેશ શરુ કરી દીધો છે. અખાડાની શાન મહામંડલેશ્વર અને જાતભાતના સાધુ સંત પણ આવી રહ્યા છે. આ સાધુ સંતોમાં સામેલ મહામંડલેશ્વર અરુણગિરી મહારાજ છે. મહામંડલેશ્વરે પોતાના શરીર પર સોનાથી જડિત આભૂષણ પહેરેલા છે. જેમાં સોનાની માળા, અંગૂઠી અને હીરાજડિત ઘડિયાળ પણ સામેલ છે. એક નજરે જોવામાં બાબા ગોલ્ડન બાબાની જેમ દેખાય છે. અરુણગિરી મહારાજ, પાયલટ બાબાના શિષ્ય છે અને આ બાબા દરેક સમયે ઘરેણાં પહેરેલા હોય છે. 10 પ્રકારના રત્નથી જડિત કિંમતી અંગૂઠીઓ પહેરે છે અને ચાંદીનો એક ધર્મ દંડ રાખે છે. હાથમાં સોનાના ઘણાં કડા અને બાજુબંધ પહેરે છે અને સ્ફટિક અને ક્રિસ્ટલના કિંમતી કડા પણ ધારણ કરે છે. તેમના તમામ આભૂષણ ભગવાનની માન્યતા સાથે જોડાયેલા છે.