Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

મહાયુદ્ધના ભણકારા! અમેરિકાના 50000 સૈનિકો હાઈ એલર્ટ પર

July 19, 2026

ન્યુ યોર્ક : મધ્ય પૂર્વમાં તણાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. જૉર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર થયેલા હુમલામાં 2 જવાનોના મોત બાદ અમેરિકાએ મોટી જવાબી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકન સેનાએ ઈરાન વિરૂદ્ધ સતત 8મી રાત્રે પણ ભીષણ બોમ્બમારો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ હુમલામાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર અને મિસાઈલ-ડ્રોન સ્ટોરેજ સાઈટોને ભારે નુકસાન થયું છે. સુરક્ષા નિષ્ણાતોના મતે અમેરિકા હવે મોટા પાયે સૈન્ય અભિયાનની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ, આ વિસ્તારમાં તૈનાત 50,000થી વધુ અમેરિકન સૈનિકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૈન્ય ક્ષમતા મજબૂત કરવા માટે જર્મનીથી F-16 અને બ્રિટનથી અત્યાધુનિક F-35 સ્ટેલ્થ ફાઈટર જેટ્સ ઈઝરાયેલ અને અન્ય મિત્ર દેશોના સૈન્ય બેઝ પર મોકલવામાં આવી રહ્યા છે.


અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે દુનિયાભરમાં રહેતા પોતાના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. એડવાઈઝરીમાં ચેતવણી અપાઈ છે કે ઈરાન સમર્થિત આતંકી જૂથો મિડિલ ઈસ્ટ સિવાય વિશ્વના અન્ય ભાગોમાં પણ અમેરિકન દૂતાવાસો અને નાગરિકોને નિશાન બનાવી શકે છે. નાગરિકોને બિનજરૂરી પ્રવાસો ટાળવા અને સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં રહેવા જણાવાયું છે.
ઈઝરાયેલ પણ આ સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલી સૈન્ય અધિકારીઓએ સંકેત આપ્યા છે કે જો ઈરાન સીધો હુમલો કરશે, તો તેમની વાયુસેના તેહરાન સહિત ઈરાનના આંતરિક વિસ્તારોમાં ભારે હુમલા કરશે. આ હુમલામાં ઈરાનના પરમાણુ મથકો અને મિસાઈલ ફેક્ટરીઓને નિશાન બનાવવામાં આવી શકે છે. જો કે, હાલમાં અમેરિકાએ ઈઝરાયેલને આ યુદ્ધથી અલગ રહેવાની સલાહ આપી છે.