Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

'અયોધ્યાથી બાબરને હટાવ્યો એ રીતે ઝારખંડથી...', ભાજપના દિગ્ગજ મુખ્યમંત્રી આ શું બોલી ગયા

November 09, 2024

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ માટે હિન્દુઓને વિભાજિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને લોકોને આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે એકજૂથ રહેવા વિનંતી કરી. સરમાએ રાજ્યના લોકોને કહ્યું કે 'અમે બાબરને અયોધ્યામાંથી હટાવ્યો હતો' તેવી જ રીતે આમને સત્તા પરથી હટાવવાની હાકલ કરી છે. મુખ્યમંત્રીએ ઝારખંડમાં વધી રહેલી બાંગ્લાદેશી ઘૂસણખોરી પર પણ ચિંતા વ્યક્ત કરી અને ચેતવણી આપી કે જો તેના પર અંકુશ નહીં આવે તો તે રાજ્યની મહિલાઓ માટે ગંભીર ખતરો બની જશે. રાંચીમાં કાંકેની રેલીમાં સરમાએ કહ્યું, 'કોંગ્રેસ મતબેંકની રાજનીતિ માટે હિંદુઓમાં ભાગલા પાડવા માંગે છે. જો તમે સંગઠિત રહેશો, તો તમે સુરક્ષિત રહેશો'. સરમા ઝારખંડમાં ભાજપના ચૂંટણી સહ-પ્રભારી પણ છે. આસામના સીએમએ લોકોને ચેતવણી આપી હતી કે, 'જો ભાજપ સત્તામાં નહીં આવે તો ઘૂસણખોરો ઘરો પર હુમલો કરશે અને મહિલાઓને ગંભીર જોખમમાં મૂકશે. જેમ અયોધ્યામાંથી બાબરને હાંકી કાઢયો હતો, તેમ ઝારખંડને લૂંટનારા આલમગીર આલમ અને ઈરફાન અન્સારી જેવા મંત્રીઓને પણ બહાર કાઢી નાખીશું.'