Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

હોર્મુઝ અમારું છે, અમેરિકા દખલ ના કરે... શાંતિ કરાર પહેલા ઈરાને ફરી ટ્રમ્પના દાવા પર પાણી ફેરવ્યું

May 24, 2026

ન્યુ યોર્ક : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટો દાવો કરતા જણાવ્યું છે કે, ઈરાન સાથે શાંતિ કરાર લગભગ નક્કી થઈ ગયો છે અને હવે માત્ર છેલ્લી ઔપચારિકતાઓ પર જ વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ કરારથી છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે. અમેરિકા, ઈરાન અને અન્ય કેટલાક દેશો વચ્ચે લાંબી ચર્ચા-વિચારણા બાદ આ વાતચીત હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.


ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, 'મેં આ વિષય પર ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ ફોન પર વાત કરી છે, જે ખૂબ જ સકારાત્મક રહી છે. કરારના અંતિમ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.'
અમેરિકન પ્રમુખે એવો પણ દાવો કર્યો હતો કે આ શાંતિ કરાર અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટને દરિયાઈ વાહનવ્યવહાર માટે ફરીથી ખોલી દેવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ઈરાનનું કહેવું છે કે, 'હોર્મુઝ પર અમારું જ નિયંત્રણ રહેશે.' અહેવાલો અનુસાર, ઈરાન માત્ર યુદ્ધ પહેલા જેટલા જહાજો ત્યાંથી પસાર થતા હતા તેટલા જ જહાજોને મંજૂરી આપવા માટે સહમત થયું છે, પરંતુ તેને સંપૂર્ણપણે મુક્ત માર્ગ ગણી શકાય નહીં.


ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને એક 'મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU) ગણાવ્યો છે, જેમાં શાંતિ સ્થાપવા માટેના 14 મહત્ત્વના મુદ્દાઓ સામેલ છે. તેમના મતે, અમેરિકા, ઈરાન અને અન્ય દેશોની આખરી મંજૂરી મળ્યા બાદ જ આ કરારને આખરી ઓપ આપવામાં આવશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે આ વાટાઘાટોનો મુખ્ય હેતુ યુદ્ધને રોકવાનો છે, જેમાં દરિયાઈ હુમલા બંધ કરવા અને ઈરાન પરના કેટલાક આર્થિક પ્રતિબંધોમાં છૂટછાટ આપવા જેવા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.